ભારતીય સેનાએ નાપાક પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરથી એવો કઠોર સંદેશો આપ્યો છે કે હાલ પાકિસ્તનમાં ફફડાટનો માહોલ વ્યાપ્યો છે. હાલ આખા દેશમાં આર્મીના આ સફળ ઓપરેશનની ઉજવણી થઈ રહી છે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
એવામાં નવી દિલ્હી ખાતે આવેલ CII એટલે કે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના વાર્ષિક બિઝનેસ સમિટના એક કાર્યક્રમ દરમ્યાન વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે આર્મીના જવાનોનો ઉત્સાહ વધારતા કહ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતા એ દેશના જવાનોની સાથે સાથે દેશના દરેક નાગરિકની પણ સફળતા છે.
આ કાર્યક્રમ દરમ્યાન વાયુસેના પ્રમુખે કહ્યું કે હવે યુદ્ધનું સ્વરૂપ બદલાતું જાય છે. અત્યારે અત્યાધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ થઈ રહ્યો છે. આજે આખું વિશ્વ જાણે છે કે ભારત આ દિશામાં કેવી રીતે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યુંકે ભવિષ્યમાં આપણે આનાથી પણ વધુ સક્ષમ અને મજબૂત રાષ્ટ્ર બનીશું.
હાલ ભારતમાં જે રીતે સ્વદેશી શસ્ત્રોનું ઉત્પાદન રાઈ રહ્યું છે તે અંગે તેમણે ઉદ્યોગ અને સશસ્ત્ર દળો વચ્ચેના તાલમેલને સૌથી મુખ્ય ગણાવ્યો. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે ભારતે મેક ઇન ઈન્ડિયા ખાલી કહ્યું નથી પણ કરીને પણ બતાવ્યું છે. તેમણે આગળ કહ્યું, “એક બાર જો હમને કમિટ કિયા હે, ફીર મે અપને આપ કીભી નહીં સુનતા” પડશે. અભિનેતા સલમાન ખાનની ફિલ્મ વોન્ટેડનો આ ડાયલોગ સાંભળીને આખો હૉલ તાળીઓથી ગુંજી ઉઠ્યો.