ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 20 જૂનથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણીની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં હેડિંગ્લી ટેસ્ટથી તેની શરૂઆત થશે. પરંતુ તે પહેલાં, આ શ્રેણી તેના નામને લઈને ઘણી ચર્ચામાં છે. પટૌડી ટ્રોફી તરીકે જાણીતી આ શ્રેણી હવે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી તરીકે ઓળખાશે. શ્રેણી પહેલા જ આ ટ્રોફીનું ઉદ્ઘાટન થવાનું હતું પરંતુ બંને દેશોના ક્રિકેટ બોર્ડે તેને હાલ પૂરતું મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે અને તેનું કારણ અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના છે. મહત્વનું છેકે છેલ્લા ઘણા વર્ષોથી ઇંગ્લેન્ડમાં પટૌડી ટ્રોફી માટે રમાતી આ શ્રેણીનું નામ આ વખતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે, ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ બોર્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ દરમિયાન તેને લોન્ચ કરવાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો પરંતુ હવે તેને મુલતવી રાખવામાં આવ્યો છે.બોર્ડે અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતી વખતે આ લોન્ચ ઇવેન્ટ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. જાણકારી મુજબ બોર્ડ ટૂંક સમયમાં નવી તારીખ નક્કી કરશે. શનિવારે યોજાનાર આ કાર્યક્રમ માટે જેમ્સ એન્ડરસન અને સચિન તેંડુલકરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એવી અપેક્ષા છે કે ટ્રોફી લોન્ચ થાય તે દિવસે તે બંને આ કાર્યક્રમનો ભાગ બનશે.
National : એન્ડરસન-તેંડુલકર ટ્રોફીનું લોન્ચિંગ મુલતવી રહ્યું
By pakkogujarat
0
8
Previous article
RELATED ARTICLES