મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આશા નામની ચિત્તાએ પાંચ સ્વસ્થ બચ્ચાઓને જન્મ આપ્યો. જેનાથી ભારતના ચિત્તા સંરક્ષણ અભિયાનને વધુ મજબૂતી મળી છે.મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આશા નામની ચિત્તાએ પાંચ સ્વસ્થ બચ્ચાઓને જન્મ આપ્યો. જેનાથી ભારતના ચિત્તા સંરક્ષણ અભિયાનને વધુ મજબૂતી મળી છે. આ સાથે ભારતમાં જન્મેલા ચિત્તાના બચ્ચાઓની સંખ્યા 24 થઈ ગઈ છે અને કુલ ચિત્તાની વસ્તી 35 પર પહોંચી ગઈ છે.
આ પ્રસંગે અભિનંદન આપતાં મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે કુનોએ ગર્વની એક ખાસ ક્ષણ જોઈ છે કારણ કે આશાએ પાંચ સ્વસ્થ બચ્ચાઓને જન્મ આપ્યો છે. જે ભારતની ચિત્તા સંરક્ષણ યાત્રાને વધુ મજબૂત બનાવે છે. આ સિદ્ધિ આપણા વન કર્મચારીઓ અને પશુચિકિત્સકોની અથાક મહેનતને પ્રતિબિંબિત કરે છે. આ રાજ્ય વન્યજીવન સંરક્ષણ માટે એક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.

પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા લખ્યું આ પ્રોજેક્ટ ચિત્તા માટે ખૂબ જ ગર્વ અને આનંદની ક્ષણ છે, કારણ કે આશા નામની એક નામિબિયન માદા ચિત્તા બીજી વખત માતા બની છે. 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાંચ બચ્ચાઓને જન્મ આપ્યો હતો. આ સાથે ભારતમાં જન્મેલા જીવંત બચ્ચાઓની સંખ્યા 24 થઈ ગઈ છે, જે ભારતીય ભૂમિ પર ચિત્તાઓના આઠમા સફળ જન્મને ચિહ્નિત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પર્યાવરણ પ્રત્યે સભાન નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલ અને ઉછેરવામાં આવેલી ભારતની ચિત્તા સંરક્ષણ યાત્રામાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
ભૂપેન્દ્ર યાદવે આગળ લખ્યું કે આ આનંદદાયક સિદ્ધિ ક્ષેત્રના કર્મચારીઓ અને પશુચિકિત્સકોના અતૂટ સમર્પણ, કૌશલ્ય અને પ્રતિબદ્ધતાનો ઝળહળતો પુરાવો છે કે જેઓ આ પ્રોજેક્ટ માટે અથાક મહેનત કરી રહ્યા છે. ભારતમાં ચિત્તાની કુલ વસ્તી હવે 35 થઈ ગઈ છે. ભારતમાં વન્યજીવન સંરક્ષણ માટે આ ખરેખર એક ઐતિહાસિક અને હૃદયસ્પર્શી ક્ષણ છે.


