E-Paper
Thursday, March 12, 2026
E-Paper
HomeIndiaNational : દેશમાં LPG સંકટ વચ્ચે રાહુલ ગાંધીનો PM મોદી પર કટાક્ષ,...

National : દેશમાં LPG સંકટ વચ્ચે રાહુલ ગાંધીનો PM મોદી પર કટાક્ષ, કહ્યું – ‘તે ખુદ ગભરાયેલા છે…’

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ (ઈરાન-અમેરિકા-ઈઝરાયલ સંઘર્ષ)ના કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં અસ્થિરતા અને ભારતમાં કમર્શિયલ LPG સિલિન્ડરોની કથિત અછતને કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ દરમિયાન તેમણે INDIA બ્લોકના સસ્પેન્ડેડ સાંસદો સાથે સંસદના મકર દ્વાર પર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પ્રદર્શન કર્યું છે.

આજે સંસદની બહાર વિપક્ષી સાંસદોએ “મોદી જી એલપીજી” ના નારા લગાવ્યા. ત્યારબાદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તસવીરો શેર કરીને વડા પ્રધાન પર કટાક્ષ કર્યો. તેમણે લખ્યું કે, “સંસદ સે નરેન્દ્ર ગાયબ, દેશ સે સિલિન્ડર ગાયબ.”

તમને જણાવી દઈએ કે, સંસદની બહાર વિપક્ષી સાંસદોએ ગેસ સિલિન્ડર જેવા આકારના પ્લેકાર્ડ પકડી રાખ્યા હતા. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ આ વિરોધમાં પ્રદર્શનમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે, ઈંધણ સંકટથી ગભરાવાની જરૂર નથી, પરંતુ તેઓ ખુદ અલગ કારણોથી ગભરાયેલા નજર આવી રહ્યા છે.

તેમણે દાવો કર્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોને રાંધણ ગેસની અછત અંગે ન ગભરાવાની અપીલ કરી રહ્યા છે, જ્યારે તેઓ ખુદ અલગ કારણોસર ગભરાયેલા છે. રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં મીડિયાને જણાવ્યું કહ્યું કે, ‘વડા પ્રધાન કહી રહ્યા છે કે ગભરાવાની જરૂર નથી, પરંતુ વડા પ્રધાન ખુદ બિલકુલ અલગ કારણોસર ગભરાયેલા છે. તેઓ અદાણી કેસ, ‘એપ્સ્ટીન ફાઈલ’ના કારણે ગભરાયેલા છે. વડા પ્રધાન ગૃહની અંદર નથી આવી શકતા અને દેશને કહી રહ્યા છે કે ગભરાવાની જરૂર નથી, જ્યારે તેઓ ખુદ ગભરાયેલા છે.’

તમને જણાવી દઈએ કે, પશ્ચિમ એશિયામાં સંઘર્ષના કારણે LPGની અછત વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકોને ન ગભરાવાની અપીલ કરી હતી અવે જાહેર હિતની રક્ષાનું આશ્વાસન આપ્યુ હતું. તેમણે કહ્યું હતું કે, ‘હું લોકોને અપીલ કરવા માંગુ છું કે આપણે ફક્ત સચોટ અને ચકાસાયેલ માહિતી જ ફેલાવવીએ.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments