HomeIndiaNational : પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો...

National : પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય

મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે ભારતના સામાન્ય માનવીના ખિસ્સા પર સીધો પ્રહાર કર્યો છે. દેશની સૌથી મોટી ખાનગી ફ્યુઅલ રિટેલર નયારા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો ઝીંક્યો છે. વૈશ્વિક સ્તરે એનર્જી સપ્લાય ચેઈન ખોરવાતા ભારતના અનેક શહેરોમાં ઈંધણના ભાવ હવે 100 રૂપિયાની સપાટી વટાવી ગયા છે.

ભાવમાં કેટલો થયો વધારો?

નયારા એનર્જીના નિર્ણય બાદ કિંમતોમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 5.30 રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. જેના પગલે અમદાવાદમાં હવે નાયરાના પેટ્રોલની આશરે કિંમત 99.65 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 93.07 રૂપિયા પ્રતિ લિટર રહેશે. 

મેટ્રો શહેરોની સ્થિતિ

ગુરુવારના આંકડા મુજબ દેશના મુખ્ય શહેરોમાં ઈંધણના નવા ભાવ હવે લાગુ થશે. હૈદરાબાદમાં પેટ્રોલ 107.46 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.70 રૂપિયા થશે. મુંબઈ અને કોલકાતામાં પણ પેટ્રોલનો ભાવ ₹100 ની ઉપર પહોંચી ગયો છે.

યુદ્ધ અને સપ્લાય કટોકટી

ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની) લગભગ બંધ જેવી સ્થિતિમાં છે. અમેરિકા અને ઈરાન બંને એકબીજાના એનર્જી પ્લાન્ટ્સ પર હુમલા કરી રહ્યા હોવાથી વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાયો છે. જેના કારણે ભારતના અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. LPG સિલિન્ડર માટે પણ ડેપોની બહાર લોકો કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે. અસમ અને ગુવાહાટી જેવા વિસ્તારોમાં સોશિયલ મીડિયા પર અછતની અફવાઓને કારણે પેનિક બાયિંગશરૂ થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments