E-Paper
Tuesday, June 17, 2025
E-Paper
HomeIndiaNATIONAL : પ્લેનક્રેશમાં હજારો લીટર પેટ્રોલ સળગે ત્યારે આગ, ધુમાડા માં દાઝવાથી...

NATIONAL : પ્લેનક્રેશમાં હજારો લીટર પેટ્રોલ સળગે ત્યારે આગ, ધુમાડા માં દાઝવાથી માણસની ચામડીને કેટલું અને કેવું નુકસાન

બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન અમદાવાદ ખાતે જે રીતે ક્રેશ થયું અને હજારો લીટર ફ્યુઅલ ને કારણે આગની જ્વાળા ઓ અને ધુમાડા ના ગોટેગોટા વચ્ચે અંદર બેસેલા 242 પ્રવાસીઓની શી હાલત થઈ હશે એની કલ્પના જ આપણને ધ્રુજાવી જાય છે.આ 241 પ્રવાસીઓ જીવતા ભૂંજાઈ ગયાં ત્યારે એમની ચામડીસાથે શરીર કેવી રીતે બળી ને ખાખ થયું હશે એની કલ્પના પણ ધ્રુજાવે તેવું છે. આજે આટલા ઊંચા તાપમાનમાં આગમાં માનવ શરીર ને કેવી રીતે નુકસાન થાય છે એને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવાનો પ્રયાસ કરીએ.

બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની ફ્યુઅલ ક્ષમતા લગભગ 126,206 લિટર (33,340 ગેલન) છે. જે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF), સામાન્ય રીતે Jet A-1,નો ઉપયોગ કરે છે. અહેવાલો અનુસાર, અમદાવાદથી લંડનની ફ્લાઇટ (લગભગ 7,000 કિલોમીટર) માટે આ વિમાનમાં ટેકઓફ સમયે સંપૂર્ણ અથવા લગભગ સંપૂર્ણ ફ્યુઅલ ભરેલું હોય તેવી સંભાવના છે. X પરના પોસ્ટ્સ અનુસાર, ટેકઓફ સમયે વિમાનમાં લગભગ 40,000 લિટરથી વધુ ફ્યુઅલ હોઈ શકે છે, કારણ કે આ રૂટ માટે આટલું ફ્યુઅલ જરૂરી હોય છે.

પ્લેન ક્રેશ થયું ત્યારે જે આગ ભભૂકી ઉઠી ત્યારે ત્યાંનું નું તાપમાન ખૂબ ઊંચું હતું.જેટ ફ્યુઅલ (Jet A-1) નું દહન તાપમાન ખુલ્લી હવામાં લગભગ 1,000 થી 1,200 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, પરંતુ વિમાન દુર્ઘટનામાં આગનું તાપમાન ઘણાં પરિબળો પર આધાર રાખે છે, જેમ કે ફ્યુઅલનું પ્રમાણ: ક્રેશ સમયે 40,000 લિટરથી વધુ ફ્યુઅલ હોવાની શક્યતા છે, જે મોટી આગનું કારણ બની શકે.એ ઉપરાંતઓક્સિજનની ઉપલબ્ધતા પણ મહત્વ ની હોય છે. ખુલ્લી હવામાં દહન વધુ તીવ્ર હોય છે.જો ફ્યુઅલ ટાંકી ફાટી હોય, તો ઝડપથી મોટો અગ્નિગોળો બની શકે, જે ટૂંકા ગાળા માટે 1,500 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન ઉત્પન્ન કરી શકે.X પરના એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આગની શરૂઆતના અગ્નિગોળામાં લગભગ 30% ફ્યુઅલ બળે તો 1.33 ટેરાજૂલ ઉર્જા ઉત્પન્ન થઈ શકે, જે 60 સેકન્ડમાં ભયંકર ગરમી ઉત્પન્ન કરે છે. જોકે, આ ચોક્કસ તાપમાનનો આંકડો તપાસ હેઠળ છે અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ નથી. સામાન્ય રીતે, જેટ ફ્યુઅલની આગ 1,100 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને પહોંચી શકે છે, જે બ્લેક બોક્સ (જે 1,100 ડિગ્રી સેલ્સિયસ સુધી ટકી શકે છે) માટે પણ પડકારજનક હોય છે.

આટલા ઊંચા તાપમાને માણસની ચામડી કેવી રીતે બળે છે?એ સમજીએ તોઉચ્ચ તાપમાને માનવ શરીર પર થતી અસર વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો
100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચામડી તાત્કાલિક બળે છે, પ્રથમ-ડિગ્રી બર્ન (સપાટીનું બર્ન) થાય છે.150-200 ડિગ્રી સેલ્સિયસ તાપમાંન બીજી-ડિગ્રી બર્ન કહેવાય છે. જેમાં ચામડીની ઉપરની અને નીચેની સ્તરો (ડર્મિસ) ને નુકસાન થાય છે, ફોલ્લા પડે છે.
300 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન હોય તો ત્રીજી-ડિગ્રી બર્ન કહેવાય જેમાં ચામડીના તમામ સ્તરો નાશ પામે છે, ચેતાતંતુઓ નષ્ટ થાય છે, અને ચામડી કાળી કે ચારકોલ જેવી થઈ જાય છે.જયારે
1,000 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન હોય તો જેટ ફ્યુઅલની આગમાં આ તાપમાને ચામડી સંપૂર્ણપણે બળીને રાખ થઈ જાય છે. આ તાપમાને માનવ શરીરના પેશીઓ, હાડકાં અને અન્ય અંગો ઝડપથી નાશ પામે છે. થોડી સેકન્ડોમાં જીવન નાશ પામે છે, કારણ કે આ તાપમાને શ્વાસ લેવું અશક્ય બને છે અને ઓક્સિજનનો અભાવ થાય છે.

વૈજ્ઞાનિક રીતે, જેટ ફ્યુઅલની આગમાં ઉષ્માનું વિકિરણ અને ઝેરી ધુમાડો ( કાર્બન મોનોક્સાઇડ સાઈનાઈડ, ) પણ મૃત્યુનું કારણ બની શકે છે. આવી ઘટનામાં, ચામડીના બળવાની પ્રક્રિયા એટલી ઝડપી હોય છે કે વ્યક્તિને પીડા અનુભવવાનો સમય પણ ન મળે.

ક્રેશ સમયે બોઇંગ 787-8માં લગભગ 40,000 લિટરથી વધુ જેટ ફ્યુઅલ હોવાની શક્યતા છે.અને
આગનું તાપમાન 1,000-1,500 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોઈ જે ખૂબ જ ભયંકર અને જીવલેણ છે.
આટલા તાપમાને ચામડી સંપૂર્ણ નાશ પામે છે, અને થોડી સેકન્ડોમાં જીવન નાશ પામે છે.

લેખક: દીપક જગતાપ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments