E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeIndiaNATIONAL : બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં કર્ણાટક હાઈકોર્ટ...

NATIONAL : બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં કર્ણાટક હાઈકોર્ટ એક્શનમાં

આઈપીએલ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની જીતની ઉજવણી દરમિયાન બેંગ્લુરુમાં થયેલી ભાગદોડમાં 11 લોકોના મૃત્યુ નીપજ્યાં હતાં. આરસીબી, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને કર્ણાટક સરકારે આ સમગ્ર મામલાથી હાથ ખંખેરી લીધા હતા. પરંતુ હવે કર્ણાટક હાઈકોર્ટે આ મામલે કાર્યવાહી કરી છે અને આ ઘટનાની સુઓમોટો નોંધ લીધી છે અને આજે કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરાશે.

અહેવાલો અનુસાર, કર્ણાટક હાઈકોર્ટ ગુરુવારે (પાંચમી જૂન) આરસીબીની વિક્ટ્રી પરેડ દરમિયાન થયેલી નાસભાગ સંબંધિત કેસની સુનાવણી કરશે. આ મામલો કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વી. કામેશ્વર રાવ અને ન્યાયાધીશ સીએમ જોશીની બેન્ચ સમક્ષ ઊઠાવવામાં આવ્યો છે.

કર્ણાટક સરકારે કોર્ટને આ ઘટના કેવી રીતે બની અને અત્યાર સુધી કયા પગલાં લેવામાં આવ્યા છે તે અંગે માહિતી આપવા સંમતિ આપી છે. આ મામલાની સુનાવણી બપોરે 2:30 વાગ્યે થશે. કર્ણાટક સરકાર આજે હાઈકોર્ટને નાસભાગમાં શું થયું અને તેણે શું કાર્યવાહી કરી તે અંગે જણાવે તેવી અપેક્ષા છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને લઈને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે માફી માગતા કહ્યું કે, ‘આવું ન થવું જોઈતું હતું અને અમને આશા નહતી કે, આટલી મોટી ભીડ થશે. સ્ટેડિયમની ક્ષમતા 35,000 છે, પરંતુ ત્યાં 3 લાખથી વધુ લોકો હતા… (સ્ટેડિયમના) દરવાજા તૂટી ગયા હતા… અમે આ ઘટના માટે માફી માંગીએ છીએ.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments