કૃપાલ બાગ, દિલ્હીમાં આયોજીત કરવામાં આવ્યો. જેમાં હજારોની સંખ્યામાં ભાઈ બહેનો તેમની યાદમાં એકત્રિત થયા અને તેમણે તેમના સાથે વિતાવેલા પોતાના રૂહાની અનુભવ બતાવતા તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી.સંત દર્શન સિંહજી મહારાજે આધ્યાત્મની પુરાતન તાલીમને એક નવા અંદાજમાં એટલી સરળ ભાષામાં પ્રસ્તુત કરી કે વિશ્વભરના લાખો લોકો પિતા પરમેશ્વરની તરફ પરત જવાના માર્ગ પર ચાલવા તૈયાર થઈ ગયા.

જ્યારે પણ આપણે સંત દર્શન સિંહજી મહારાજ ને યાદ કરીએ છીએ તો તેમનું પોતાનું જીવન અને તેમની શિક્ષાઓ આજે પણ દુનિયાભરમાં ફેલાયેલા લાખો શિષ્યોને માર્ગદર્શન આપે છે. તેઓએ તેમના અથાગ પ્રયાસો થી સંપૂર્ણ માનવતાના દિલમાં પ્રભુ પ્રેમ ને ભરી દીધો છે. તેમની શાયરી આપણા બધા માટે એક દિવ્ય ઉપહાર છે, જેમાં આધ્યાત્મને બહુ જ સરળ શબ્દોમાં વ્યક્ત કર્યું છે જેના થકી તેઓએ જીવન અને તેનાથી ઉપરના રહસ્યોને ખોલી ખોલીને સમજાવ્યા છે. સંત દર્શન સિંહજી મહારાજે એક આત્માના રૂપમાં પોતાના જાતને ઓળખવા અને પ્રભુ પ્રેમ તથા પ્રકાશ ની અંદરની યાત્રા પર જવામાં આપણી મદદ કરી જેથી કરીને આપણે મનુષ્ય જીવનના મુખ્ય ઉદ્દેશ એટલે કે પ્રભુ પ્રાપ્તિને આ જ જીવનમાં પૂર્ણ કરી શકીએ.
સફરગંજ હોસ્પિટલ તથા તથા વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજમાં શારીરિક રૂપથી વિકલાંગ દર્દીઓને વ્હીલ ચેર, ટ્રાય સાયકલ, તથા વૈશાખી વગેરે ઉપકરણનું મિશનની તરફથી મફતમાં ભેટ કરવામાં આવ્યું. આ ઉપરાંત ગરીબ તથા અસહય બાળકોના માટે ગ્રેટર નોઈડા ના સેક્ટર બીટા-૨ માં આવેલા ફાધર એગનેલ બાલ ભવનમાં બાળકોને દૈનિક જરૂરિયાત નો સામાન નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યો.
આની સાથે સાથે નવી દિલ્હીના ગૌતમ નગર સ્થિત શ્રીમદ દયાનંદ વેદાર્ષ મહાવિદ્યાલય ગુરુકુળમાં પણ બધા બાળકોને રોજબરોજના જીવનમાં કામમાં આવતી આવશ્યક વસ્તુઓ મફતમાં વિતરણ કરવામાં આવી. આ કાર્યક્રમમાં શાંતિ અવેદના સદન, રાજનગર નવી દિલ્હીમાં કેન્સર પીડિત રોગીઓને પણ મિશનની તરફથી દવા, ફળ તથા અન્ય ઉપયોગી વસ્તુઓનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું.
સંત દર્શન સિંહજી મહારાજને ઉર્દુ તથા ફારસી ગઝલોના કારણે ભારતના એક મહાન સૂફી સંઘ શાયરના રૂપમાં ઓળખવામાં આવે છે. તેમના કાવ્ય સંગ્રહો ના માટે તેમને દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશની ઉર્દુ એકેડમીઓ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે.
દયાલ પુરુષ સંત દર્શન સિંહજી મહારાજના મહા સમાધિમાં લીન થવાના પછી તેમનો રૂહાની કાર્યભાર ને સંત રાજીન્દર સિંહજી મહારાજે સંભાળ્યો અને આજે તેઓ તેમના દ્વારા આપવામાં આવેલી સંતમતની શિક્ષાઓને સંપૂર્ણ વિશ્વમાં ફેલાવી રહ્યા છે. સાવન કૃપાલ રુહાની મિશન ના સંપૂર્ણ વિશ્વમાં લગભગ 3200 થી વધારે કેન્દ્ર સ્થાપિત છે તથા મિશનનું સાહિત્ય વિશ્વની 55 થી વધુ ભાષાઓમાં પ્રકાશિત થઈ ચૂક્યું છે. આનું મુખ્યાલય વિજયનગર, દિલ્હીમાં છે તથા આંતરરાષ્ટ્રીય મુખ્યાલય નેપરવીલે અમેરિકામાં સ્થિત છે.