E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : સસ્તી ટિકિટ, નો કેન્સલેશન ફી… ઈન્ડિગો સંકટ વચ્ચે એર ઈન્ડિયાનો...

National : સસ્તી ટિકિટ, નો કેન્સલેશન ફી… ઈન્ડિગો સંકટ વચ્ચે એર ઈન્ડિયાનો મુસાફરોના હિતમાં નિર્ણય

દેશભરમાં ફ્લાઇટ્સની વ્યાપક અવ્યવસ્થા અને મુસાફરોને કલાકો સુધી ફસાઈ રહેવાની સ્થિતિ વચ્ચે એર ઇન્ડિયાએ શનિવારે રાહત આપવા માટે ઘણા મોટા પગલાં લીધાં છે. એરલાઇન્સનું કહેવું છે કે તેમનો ઉદ્દેશ્ય છે કે કોઈ પણ મુસાફર વધુ પૈસા આપીને કે પરેશાની સહન કરીને પ્રવાસ ન કરે. એરલાઇન ગ્રુપે ભાડા નિયંત્રણથી લઈને ટિકિટ કેન્સલેશન ફી માફ કરવા સુધીના અનેક પગલાં તાત્કાલિક અસરથી લાગુ કર્યા છે.

એર ઇન્ડિયાએ જણાવ્યું કે, 4 ડિસેમ્બર, 2025થી બંને એરલાઇન્સે ઘરેલુ ઉડાનોની ઇકોનોમી ટિકિટના ભાવ નક્કી કરી દીધા છે. આનો અર્થ એ છે કે હાલમાં દેશમાં ઉડાન સંકટ હોવા છતાં ટિકિટના ભાવ અચાનક ખૂબ મોંઘા નહીં થાય. સરકારે પણ આ અંગે નિર્દેશ આપ્યા છે, જેનું પાલન કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે માંગ પ્રમાણે ઓટોમેટેડ રેવન્યુ મેનેજમેન્ટ સિસ્ટમ ભાડું વધારે છે, પરંતુ વર્તમાન સંકટને ધ્યાનમાં રાખીને તેને સ્થગિત કરવામાં આવ્યું છે.

મુસાફરોને મોટી રાહત આપતા એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે ટિકિટ બદલવા અને રદ કરવા પર એક વિશેષ છૂટની જાહેરાત કરી છે. જે મુસાફરોએ 4 ડિસેમ્બર, 2025 સુધી ટિકિટ બુક કરી છે અને 15 ડિસેમ્બર, 2025 સુધી મુસાફરી નિર્ધારિત છે, તેઓ કોઈ પણ વધારાની ફી ચૂકવ્યા વિના પોતાની મુસાફરીની તારીખ બદલી શકે છે. વળી, ટિકિટ રદ કરવા પર પણ કોઈ કેન્સલેશન ફી નહીં લાગે અને પૂરું રિફંડ આપવામાં આવશે.

આ છૂટ 8 ડિસેમ્બર, 2025 સુધી એકવારના ફેરફાર માટે લાગુ રહેશે. જોકે, જો મુસાફર નવી તારીખ માટે ટિકિટ બદલે છે અને નવા ભાડામાં તફાવત આવે છે, તો માત્ર ભાડાનો તફાવત જ આપવો પડશે.

મુસાફરોને ફેરફાર માટે બંને કેરિયરના 24×7 કોન્ટેક્ટ સેન્ટરો અને ટ્રાવેલ એજન્ટની મદદ લેવા જણાવાયું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના ગ્રાહકો WhatsApp ચેટબૉટ ‘TIA’ સહિત વેબસાઇટ, મોબાઇલ એપ અને ફેસબુક મેસેન્જર દ્વારા પણ ફેરફાર કરી શકે છે.સતત વધતા કોલ્સ અને લાંબા વેઇટ ટાઇમને જોતા બંને એરલાઇન્સે 24×7 કોન્ટેક્ટ સેન્ટરોમાં વધારાનો સ્ટાફ તૈનાત કર્યો છે. હેલ્પલાઇન નંબર આ મુજબ છે: Air India: +91 11 6932 9333 અને Air India Express: +91 124 443 5600 / +91 124 693 5600.

કંપનીએ કહ્યું છે કે તેઓ વધુમાં વધુ મુસાફરોને જગ્યા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કોઈ ફ્લાઇટમાં ખાલી સીટો છે, તો ઇકોનોમી મુસાફરને કોઈપણ પૈસા આપ્યા વિના ઉપરી ક્લાસમાં બેસાડી શકાય છે (ફ્રી અપગ્રેડ). સાથે જ ભીડ ઓછી કરવા માટે કેટલાક રૂટ પર વધારાની ફ્લાઇટ્સ પણ ચલાવવામાં આવી રહી છે.

એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ પહેલાથી જ વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, સેનાના સભ્યો અને તેમના આશ્રિતોને વિશેષ છૂટ આપે છે. કંપનીએ સ્પષ્ટ કર્યું કે આ લાભ ચાલુ રહેશે અને મુસાફરો કંપનીની વેબસાઇટ અથવા એપ પર આ વિશેષ ભાડા સાથે ટિકિટ બુક કરી શકે છે. આ રિયાતી ટિકિટ ઘણા કિસ્સાઓમાં વર્તમાન નિયત ભાડા કરતાં પણ ઓછી હોઈ શકે છે.

કંપનીના જણાવ્યા અનુસાર, વર્તમાન પરિસ્થિતિને જોતા ઉદ્દેશ્ય મુસાફરો પર આર્થિક બોજ ઓછો કરવો અને વધુમાં વધુ લોકોને જલ્દી ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાનો છે. એરલાઇન્સ અધિકારીઓનું કહેવું છે કે આ પગલું માત્ર અસ્થાયી રાહત નથી, પરંતુ ગ્રાહક હિતોની સુરક્ષા માટેની અમારી પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments