E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeIndiaNational : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની...

National : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે SSC(સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા મોટા સમાચાર આપવામાં આવ્યા છે. કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ(CGL) 2025ની ભરતી પ્રક્રિયામાં પદોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જાહેર કરાયેલા 14,582 પદને વધારીને હવે કુલ 15,130 કરી દેવામાં આવ્યા છે. આ ભરતી દ્વારા કેન્દ્ર સરકારના વિવિધ 58 પ્રકારના ગ્રુપ-બી અને ગ્રુપ-સી પદો પર નિમણૂક કરવામાં આવશે, જેમાં પે-લેવલ 4થી 7 મુજબ 25,500થી લઈને 1,42,400 રૂપિયા સુધીનો પગાર મળવાપાત્ર થશે.

ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો, ટિયર-1નું પરિણામ 18 ડિસેમ્બર, 2025ના રોજ જાહેર થયું હતું, ત્યારબાદ 18થી 20 જાન્યુઆરી, 2026 દરમિયાન ટિયર-2ની પરીક્ષા યોજાઈ હતી. હવે અંતિમ પરિણામ જાહેર થાય તે પહેલા કમિશને ઉમેદવારો પાસેથી પદો અને વિભાગો માટેની પસંદગી એટલે કે ‘ઓપ્શન-કમ-પ્રેફરન્સ’ માંગ્યા છે. જે ઉમેદવારો ટિયર-2ની પરીક્ષામાં હાજર રહ્યા હતા, તેઓએ જ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

ઉમેદવારો 9 માર્ચથી 12 માર્ચ(સાંજે 6 વાગ્યા સુધી) ઓફિશિયલ વેબસાઈટ ssc.gov.in પર લોગિન કરીને પોતાની પસંદગીના પદોની પ્રાથમિકતા આપી શકશે. ખાસ નોંધનીય છે કે, આ પ્રેફરન્સ ફોર્મ ભરવું ફરજિયાત છે. જો કોઈ ઉમેદવાર આ ફોર્મ ભરવામાં ચૂકી જશે, તો તેના પરિણામની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે નહીં અને તેને ફરીથી કોઈ તક આપવામાં આવશે નહીં.

કેટેગરી મુજબ જગ્યાઓની વિગત જોઈએ તો, બિન-અનામત(UR) માટે 6,464, OBC માટે 3,834, SC માટે 2,223, ST માટે 1,134 અને EWS વર્ગ માટે 1,475 જગ્યાઓ નિર્ધારિત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments