દર વર્ષે 3 જૂને વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ નિયમિત સાયકલ ચલાવે છે, તો તે માત્ર ફીટ જ નહીં પરંતુ શરીરને સ્વસ્થ પણ રાખી શકે છે તેને મનાવવાનો મુખ્ય હેતુ લોકોને સાયકલ ચલાવવાના ફાયદાઓ વિશે જણાવવાનો છે. જો કોઈ વ્યક્તિ નિયમિત સાયકલ ચલાવે છે, તો તે માત્ર ફીટ જ નહીં પરંતુ શરીરને સ્વસ્થ પણ રાખી શકે છે. આવી સ્થિતિમાં આ દિવસની શરૂઆત ક્યારે થઈ તે વિશે જાણવું મહત્વપૂર્ણ છે. અમે તમને જણાવીશું કે વિશ્વ સાયકલ દિવસની શરૂઆત ક્યારે થઈ અને તેનું શું મહત્વ છે.

2018માં આ દિવસ પહેલીવાર ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની શરૂઆત ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી. 3 જૂન 2018ના રોજ એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યુએનના અધિકારીઓ તેમજ એથ્લીટ્સ સહિત ઘણા લોકોએ ભાગ લીધો હતો.
સાયકલ દિવસ મનાવવાનો પ્રસ્તાવ અમેરિકાના મોંટગોમરી કોલેજના પ્રોફેસર લેસ્જેક સિબિલ્સકીએ આપ્યો હતો. આ પછી સિબિલ્સકી અને તેમના સાથીઓ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. જે પછી આ દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી.
યૂરોપિયન દેશમાં સાઇકલના ઉપયોગનો વિચાર 18મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં જ લોકોના મગજમાં આવી ગયો હતો. જો કે સૌ પ્રથમ વર્ષ 1816માં પેરિસના એક કારીગરે આ વિચારને વાસ્તવિક રૂપ આપ્યું હતું. આને હૉબી હોર્સ કહેવામાં આવ્યો હતો. પગથી ફેરવવામાં આવતા પેડલ યુક્ત પૈડાનો આવિષ્કાર વર્ષ 1865માં પેરિસના લાલેમેન્ટે કરી હતી. તેને વેલૉસિપીડ કહેવામાં આવ્યું હતું. તેને ચલાવવા પર ખૂબ જ થાક લાગવાને કારણે તેને બોન શેકર પણ કહેવામાં આવતું હતું.

વેલૉસિપીડની લોકપ્રિયતા અને માંગણી વધવાને કારણે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકાના મશીન ઉત્પાદકોએ તેમાં ઘણા બધા સુધારા કર્યા અને વર્ષ 1872માં એક સુંદર રૂપ આપ્યું હતું. તેમાં લોખંડની પાતળી પટ્ટીને ખેંચાણપૂર્વક પૈડા લગાવવામાં આવ્યા. આગળના પૈડા 30 ઇંચથી લઇને 64 ઇંચ વ્યાસ સુધીના હતા અને પાછળના પૈડા લગભગ 12 ઇંચ વ્યાસ ધરાવતા હતા. તેમાં બેરિંગ્સ અને બ્રેક્સ પણ લગાવવામાં આવ્યા હતા. આ આધુનિક સાઇકલ તરીકે ઓળખાઇ હતી. આજે વિશ્વભરમાં કેટલાય પ્રકારની સાઇકલ ઉપલબ્ધ છે.
ભારતમાં સાઇકલથી વૃદ્ધિ :
ભારતમાં સાઇકલે આર્થિક વૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આઝાદી બાદ કેટલાય દાયકા સુધી સાઇકલ વાહનવ્યવહારનો મહત્ત્વનો હિસ્સો બની ગઇ હતી. 1960થી લઇને 1990 સુધી ભારતમાં મોટાભાગના પરિવાર પાસે સાઇકલ હતી. આ મહત્ત્વપૂર્ણ અને સસ્તુ સાધન હતું.
સાઇકલ ગામડાઓમાં ખેડૂતો માટે માર્કેટ સુધી પાકને પહોંચાડનાર સાધન બન્યુ જે આજે પણ છે. દૂધ વેચતા લોકો માટે આજે પણ સાઇકલ ખૂબ જ ઉપયોગી સાધન છે. ત્યારે મજૂરો માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાહન છે.
ભારતીય પોસ્ટ વિભાગનું સમગ્ર તંત્ર જ સાઇકલથી ચાલતું હતું. આજે પણ પોસ્ટમેન સાઇકલથી પત્ર લોકો સુધી પહોંચાડે છે.
સાઇકલ વાહનવ્યવહારનું ખૂબ જ સસ્તું સાધન છે. તેમાં ડીઝલ અથવા પેટ્રોલની જરૂર નથી પડતી અને સ્વાસ્થ્ય પણ જળવાઇ રહે છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી, એટલા માટે સાઇકલ પર્યાવરણ માટે અનુકૂળ છે
સાયકલનુ મહત્વ :-
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વર્લ્ડ સાયકલ ડેનું મહત્વ સભ્ય દેશોને વિવિધ વિકાસ રણનીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને ઉપરાષ્ટ્રીય વિકાસ નીતિઓ અને કાર્યક્રમોમાં સાયકલને સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. સાથે જ આ દિવસ સભ્ય દેશોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને મજબૂત કરવા માટે સમાજના તમામ સભ્યોમાં અને રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે સાયકલની સવારીને વ્યવસ્થિત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસ બાળકો અને યુવાનો માટે શિક્ષણને મજબૂત કરવા, આરોગ્ય જાળવવા, રોગોને રોકવા, સામાજિક સમાવેશ અને સુવિધા આપવા માટે સાયકલના ઉપયોગને સમજવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનું કારણ સાયકલની વિશેષતા અને બહુમુખી પ્રતિભાને ઓળખ આપવાનુ પણ છે. એવુ કહેવાય છે કે જો શહેરના લોકો પોતાની આસપાસ એટલે નજીક જ ક્યા જવા માટે સાયકલનો ઉપયોગ કરે તો તે દરરોજ સેંકડો લિટર પેટ્રોલનો વપરાશ ઘટાડશે. આ સાથે શહેરનું પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટશે
પહેલા માણસ મજબૂરીથી સાઇકલ ચલાવતો.આજે મજબૂર થઈ અને સાઇકલ ચલાવે છે,ડોકટરો સલાહ આપે છે કે ફેફસાંને મજબૂત રાખવા તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નિયમિતપણે 30 મિનિટ સાયકલ ચલાવવી જોઈએ. કોરોના રોગચાળાએ સાયકલ ચલાવવાનું મહત્વ વધાર્યું હતું.પ્રથમ લહેર પછી જ્યારે લોકડાઉન ખુલ્યું ત્યારે સાયકલનું વેચાણ વધ્યું હતું. આ વ્યસ્ત જીવનમાં સાયકલ ચલાવવું એ એક સારો વિકલ્પ છે. એક જમાનો હતો ત્યારે .. એટલાસ હીરો હમ્બર નોવા જેવી કંપનીઓ સાયકલ બનાવતી અને ત્યારે પણ સિમ્પલ સાઇકલ આવતી.એ જમાનામાં ઘોડો સાયકલ કહેવામાં આવતી અને તે જ મળતી અને લોકો મજબૂરીથી ચલાવતા હતા.
જાણવા મળતી માહિતી મુજબ ૧૯૬૪માં સાયકલ ફક્ત ૧૪૭ રૂપિયા મળતી તે સાઇકલ આજે રૂપિયા 17000 થી અઢી લાખ સુધી માં મળે છે.લોકો સાયકલ નું મહત્વ સમજવા મંડ્યા છે અને હવે લોકોને અલગ અલગ રંગ રૂપ સાથે ફેન્સી તથા હેલ્થ ને ઉપયોગી સાયકલો મળવા માંડી છે.સાથે સાથે વેકેશનમાં સાઈકલ ખૂબ વેચાય છે અને યંગસ્ટર માં cyclone ગ્રુપ પણ બન્યા છે અને તેઓ રાજકોટમાં અવારનવાર થતા સાઈક લોફોનમાં પણ ભાગ લેતા થયા છે. આજે જ્યારે પેટ્રોલ મોંઘુ થયું છે ત્યરે લોકો માટે સાયકલ બેસ્ટ વિકલ્પ છે.સાથે પર્યાવરણની જાળવણીમાં પણ મદદરૂપ થઈ શકીએ છીએ.
દિવસેને દિવસે વધી રહેલી ભૌતિકવાદી સુવિધાઓએ માણસનું જીવન આરામદાયક બનાવ્યું છે, પરંતુ શારીરિક મજૂરીના અભાવને લીધે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ પણ વધવા માંડી છે. આ વ્યસ્ત જીવનમાં સાયકલ ચલાવવું એ એક સારો વિકલ્પ છે. કોરોના યુગમાં, લોકો તેમના શરીરને સ્વસ્થ રાખવા માટે વિવિધ રીતો જોઈ રહ્યા હતા સાયકલિંગ એ શરીરને સ્વસ્થ રાખવા માટે એક સારો રસ્તો છે. વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર બી.આર. કમ્બોજ જાતે સાયકલ ચલાવીને ઓફિસ પહોંચ્યા હતા. જેથી લોકો પ્રેરણા મળે અને ચક્રને પ્રોત્સાહિત કરે. દરરોજ અડધો કલાક સાયકલ ચલાવવાના ઘણા ફાયદા છે.
સાયકલિંગ ફક્ત માનવ સ્વાસ્થ્ય માટે જ સારું નથી, તે પર્યાવરણ માટે પણ મૈત્રીપૂર્ણ છે.
જૂનાગઢમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી ઓન્લી ઇન્ડિયન નામની સામાજિક સંસ્થા ચલાવી રહેલા એક નિવૃત્ત સરકારી કર્મચારી પણ સાઇકલને ખૂબ પ્રાધાન્ય આપે છે. તેઓ જૂનાગઢ શહેરમાં સાઇકલ પર પરિભ્રમણ કરીને શાળાના બાળકોથી લઇને જિલ્લા કલેકટર સુધીની વ્યક્તિને સાઇકલ ચલાવવી જોઈએ સાઇકલના ફાયદા અને સાઇકલથી દેશ અને દુનિયાને પ્રદૂષણ મુક્ત રાખી અને દેશની સાથે સમગ્ર વિશ્વની સેવા કરવાની તક તેઓ આજે પણ ઝડપી રહ્યા છે. વહેલી સવારે ઘરેથી નીકળી અને સાઈકલ જ સંદેશ અને સંદેશ ઉપર જ સાઇકલ તેવા હેતુ સાથે ઓન્લી ઇન્ડિયન નીકળીને સમગ્ર જૂનાગઢવાસીઓને સાઇકલ તરફ વાળવાનો એક પ્રયાસ કરી રહ્યા છે જેને હવે ધીમે-ધીમે સમર્થન પણ મળતું જાય છે
Reporter : લેખક:દીપક જગતાપ