E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeIndiaOperation Sindoor: ભારતમાં આજે વાગશે જંગી સાયરન, પાકિસ્તાની સેના બોર્ડર છોડીને ભાગી

Operation Sindoor: ભારતમાં આજે વાગશે જંગી સાયરન, પાકિસ્તાની સેના બોર્ડર છોડીને ભાગી

ભારતના ઘણા રાજ્યોમાં આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંભળીને પાકિસ્તાન સેનાની હાલત ખરાબ થઈ ગઈ છે. ભારત પાકિસ્તાન બોર્ડર પાકિસ્તાન સૌનિકોમાં નાસભાગ મચી ગઈ છે. પાકિસ્તાની સૈનિક બોર્ડ છોડીને ભાગી ગયા છે. આ તમામ પાકિસ્તાની રેન્જર્સ બોર્ડર એરિયાના ઝાડી ઝાંખરામાં છુપાયેલા હતા, તેમના હાથમાં મોટા હથિયાર હતા. પરંતું બોર્ડર પર ભારતીય સેનાની તૈયારીઓને જોઈને તેમની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. જેના પછી તેઓ મોકો જોઈને ફરાર થઈ ગયા છે.

ઓપરેશન શીલ્ડને લઈને પાકિસ્તાનની ઉંઘ ઉડી ગઈ છે. ભારતના 5 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં આજે મોક ડ્રિલનું આયજન થશે અને ઈમરજન્સીની સ્થિતિમાં બચાવની તૈયારીઓ કરાશે. પાકિસ્તાનમાં ઓપરેશન શિલ્ડને લઈને ડરનો માહોલ છે. મોકડ્રિલ પહેલા પાકિસ્તાનની સેના ભાગવા માંડી છે. યુદ્ધનો એવો ડર, પોસ્ટ છોડીને ભાગતી પાકિસ્તાની સેના, જંગી સાયરનની અસર બોર્ડર પર જોવા મળી છે.

આ પાકિસ્તાન સેનાના જનરલનું નિવેદન સામે આવ્યું છે. આ વચ્ચે પાકિસ્તાનની સેનાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ શમશાદ મિર્ઝાએ જણઆવ્યું કે પાકિસ્તાની સેના બોર્ડર પરથી પાછળ હટી ગઈ છે. મિર્ઝાએ કહ્યું હતુ કે અમે 22 એપ્રિલથઈ પહેલાની સ્થિતિમાં આવી ગયા છીએ અને બોર્ડર પર સૈન્યને ઓછુ કરી રહ્યા છીએ. અમે ઘણી હદ સુધી પાછળ આવી ગયા છીએ.

મોકડ્રિલ પહેલા BSFને લઈને ભારતના ગૃહમંત્રી અમિત શાહનું મોટુ નિવેદન સામે આવ્યું છે. અણિત શાહે જણાવ્યું હતું કે BSFએ પાકિસ્તાનની 118થી વધુ પોસ્ટ ધ્વસ્ત કરી નાખી છે. 8 મે પછી 3 દિવસમાં 118 પોસ્ટ નષ્ટ કરી. પાકિસ્તાનને ફરી આ પોસ્ટ બનાવવામાં 4 થી 5 વર્ષ લાગશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments