પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શનિવારે ક્વેટામાં એક બેઠકમાં હાજરી આપી હતી. આ સભામાં તેમણે એક મોટું નિવેદન આપ્યું હતું. શાહબાઝે કહ્યું હતું કે ‘હવે હું કટોરો લઈને ભીખ માંગવા નહીં જાઉં. કારણ કે જે લોકો મને ભિખ આપતા હતા તેઓ હવે કહે છે કે, જાતે મહેનત કરીને પોતાના દેશ માટે કંઈક કરો, તેમણે વધુમાં કહ્યું હતું કે ‘બધા મિત્ર દેશો ઇચ્છે છે કે આપણે તેમની સાથે વેપાર કરીએ. કોઈ પણ આ રીતે પૈસા આપવા માંગતું નથી. હકીકતમાં શાહબાઝનો ઈશારો ચીન, સાઉદી અરેબિયા અને કતાર જેવા દેશો તરફ હતો.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના ઘણા નિવેદનો આ દિવસોમાં બહાર આવી રહ્યા છે. હાલમાં તેમનું ભીખ માંગવાનું કટોરુંવાળું નિવેદન ખૂબ જ સમાચારમાં રહ્યું છે. બલુચિસ્તાનના ક્વેટામાં કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજમાં સૈન્ય અધિકારીઓને સંબોધતા શાહબાઝ શરીફે કહ્યું હતું કે, ‘ચીન પાકિસ્તાનનો સૌથી જૂનો મિત્ર છે. સાઉદી અરેબિયા પાકિસ્તાનના સૌથી વિશ્વસનીય મિત્રોમાંથી એક છે અને તુર્કી, કતાર અને યુએઈ જેવા અન્ય દેશો પણ તેના સૌથી વિશ્વસનીય મિત્રોમાંથી એક છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘પરંતુ હું અહીં સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે હવે તેઓ અપેક્ષા રાખે છે કે અમે વ્યવસાય, સંશોધન, વિકાસ, શિક્ષણ અને આરોગ્ય, રોકાણ દ્વારા તેમની સાથે સહયોગ કરીએ. હવે તેઓ અપેક્ષા રાખતા નથી કે આપણે ભીખ માંગવાનો કટોરો લઈને તેમની પાસે આવીએ.
શાહબાઝ શરીફે વધુમાં કહ્યું કે ‘તેઓ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર હવે પોતાના ખભા પર નિર્ભરતાનો બોજ ઉઠાવવા માંગતા નથી. હું ફિલ્ડ સાથે આ બોજ ઉપાડવા તૈયાર છેલ્લો માણસ છું. કારણ કે આખરે તે આ મહાન રાષ્ટ્રના ખભા પર રહેશે. એક તરફ પાકિસ્તાન આતંકવાદનો સામનો કરી રહ્યું છે તો બીજી તરફ દેશ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે. શાહબાઝ શરીફે પણ આ અંગે વાત કરી હતી. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ શાહબાઝે પણ ભારત સાથે સંઘર્ષનો અંત લાવવા માટે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.