HomeGujaratPanchmahal : શહેરાના પાલીખંડા રોડ પર ખેતરમાં ભીષણ આગ, કાળઝાળ ગરમી વચ્ચે...

Panchmahal : શહેરાના પાલીખંડા રોડ પર ખેતરમાં ભીષણ આગ, કાળઝાળ ગરમી વચ્ચે પાક બળીને ખાખ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આગની ઘટના સામે આવી છે. શહેરાના પાલીખંડા વાટાવ છોડા રોડ પર આવેલા એક ખેતરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. કાળઝાળ ગરમીના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં ખેડૂતનો તૈયાર થયેલો પાક બળીને રાખ થઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર, ખેતરમાં ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓ દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોઈ ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને તેના પર કાબૂ મેળવ્યો હતો.

ભોગ બનનાર ખેડૂતના જણાવ્યાનુસાર, ખેતરમાં તુવેરની ખેતી કરી હતી. પાક તૈયાર થવાની તૈયારીમાં હતો ત્યારે જ લાગેલી આ અચાનક આગમાં તુવેરનો સંપૂર્ણ પાક બળીને ખાખ થઈ ગયો છે. ખેડૂતને આ ઘટનામાં મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.હાલ પડી રહેલી કાળઝાળ ગરમી અને સૂકા વાતાવરણના કારણે ખેતરોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. શહેરાના આ વિસ્તારમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ આકરા તાપ વચ્ચે લાગેલી આ આગે ખેડૂતના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments