વિશ્વભરમાં યોગને તંદુરસ્ત જીવનશૈલી અને આંતરિક શાંતિ માટેના સશક્ત સાધન તરીકે ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રેરણા અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન જેટી પોરબંદર ખાતે યોગ જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં જહાજ અંકિતના જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધે હતો. તેમજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના પુરુષાર્થથી યોગને સમગ્ર વિશ્વ ફલક પર સન્માનનીય સ્થાન પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારે યોગના પ્રચાર- પ્રસાર માટે ગુજરાત યોગબોર્ડના ચેરમેન શિશપાલજીના નેતૃત્વમાં સક્રિયતાથી કાર્યરત છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ દરિયાઈ સીમાના રક્ષક એવા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જહાજોના જવાનો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા.

આ દરમ્યાન જહાજ અંકિત અને કોસ્ટ ગાર્ડ વાઇફ વેલ્ફેર એસોસિએશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં યોગના મહત્વ અને ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પોરબંદર કોર્ડિનેટર, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર તથા પોરબંદર સ્પોર્ટ્સ યોગા એસોસિએશનના યોગ નિષ્ણાત શ્રી કેતન કોટીયાએ યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાના ઉપાયો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમના આભાર પ્રદર્શન સ્વરૂપે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જહાજ અંકિતના સીઈઓ સહિતના સહયોગી અને યોગપ્રેમીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : વિરમભાઇ કે. આગઠ