E-Paper
Monday, June 16, 2025
E-Paper
HomeGujaratPORBANDAR : ખિસ્ત્રી ગામની મહિલા મિશન મંગલમ યોજનામાં જોડાતા તેમની કિસ્મત...

PORBANDAR : ખિસ્ત્રી ગામની મહિલા મિશન મંગલમ યોજનામાં જોડાતા તેમની કિસ્મત બદલાઈ ગઈ

ગોસા(ઘેડ)તા.૧૪/૦૬/૨૦૨૫ ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને વિશેષ મહત્વ આપવાની સાથો-સાથ ભારતીય નારી દેશમાં પુજાય છે. ભારતીય નારીનું આર્થિક, સામજીક, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રમાં મહત્વનું યોગદાન છે. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સરકાર હંમેશા કટીબધ્ધ રહેવાની સાથે સમાજમાં માન-સન્માન, સ્વતંત્રતા અને આર્થિક વિકાસ માટે અનેકવિધ મહિલાલક્ષી યોજના અમલમાં મુકી તેનો સીધો લાભ મહિલાઓને આપવામાં આવે છે.

સરકારી યોજનાઓના લાભથી આજે મહિલાઓનો આર્થિક વિકાસ થવાની સાથે સમાજમાં સારી નામના ધરાવે છે. પોરબંદર તાલુકાના ખિસ્ત્રી ગામની મહિલાએ સફળતાના શિખરો સર કરી સિધ્ધી હાંસલ કરી છે. મહિલાઓ માટે પ્રેરણારૂપ સફળતાના સાક્ષી અને મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ રાંભીબેન ખિસ્તરીયા બન્યા છે.

રાંભીબેન ખિસ્તરીયાએ જણાવ્યું હતું કે,૨૦૧૮ માં સતસંગ સખીમંડળમાં જોડાયા બાદ સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ લાભો જેવા કે, આર્થીક સહાય, તાલીમ અને માર્ગદર્શન દ્વારા આજે મને આ સફળતા પ્રાપ્ત થઈ છે.

બહેનોએ સફળતાના શિખરો સર કરવામાં માટે કોઈપણ સંજોગોમાં ભોગ આપવો જ પડશે અને રાંભીબેન ખિસ્તરીયાની સફળતા પાછળ પણ એક સંઘર્ષ ભરેલી કહાની છે. તેઓ પહેલા અલગ- અલગ જગ્યાએ શાળામાં શિક્ષક, હોસ્ટેલમાં ગ્રૃહમાતા, મહિલા અદાલત નોકરી, કસ્તુરબા ગાંધી વિધાલયમાં મુખ્ય વોર્ડન સહિતની ફરજો બાદ છેવટે વર્ષ ૨૦૧૮ના અંતમાં ખ્રિસ્તીગામમાં તેઓના ઘરે સિવણ કામ શરૂ કરી ગામની બહેનો સાથે સત્સંગ કરતા હતા.

પોરબંદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલમ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૮માં સત્સંગ સખી મંડળની રચના કરી તેમા પ્રખુમ તરીકેનું પદ નિભાવી મંડળના બહેનોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાવ્યો હતો. સત્સંગ સખી મંડળના નામે વર્ષ ૨૦૨૨માં ખિસ્તીગામમાં સસ્તા અનાજની દુકાનની પરવાનગી મળતા ખિસ્તીગામના લાભાર્થીઓને અનાજ વિતરણ કરવામાં આવે છે.

વર્ષ ૨૦૨૨ થી ભારત ગેસ એજન્સી મળતા ગ્રામજનોને ઉજ્જવલાના યોજનાનો લાભ આપવા માટે ફોર્મ ભરી અનેક મહિલાઓને ઉજ્જવલા યોજનાનો લાભ અપાવવામાં મદદરૂપ બન્યા છે. આર.સે.ટી. દ્રારા આયોજીત સાબુ, સોડા અને ફિનાઈલ બનાવવાની તાલીમમાં સહભાગી થવાની સાથે દેગામ, વિસાવાડા, વિઝરાળા સહિતના ગામોમાં બહેનોને બ્યુટી પાર્લર, શિવણ ક્લાસ અને ગૃહ ઉધોગ શરૂ કરવા તાલીમ આપી પ્રેરણા આપવામાં આવી હતી. સત્સંગ સખી મંડળને વર્ષ ૨૦૨૪ના ગરીબ કલ્યાણ મેળામાં સી.એલ.એફ.માટે રૂા.૩.૫૦ નો ચેક અર્પણ કરવામાં આવતા સખી મંડળને વધુ આર્થિક મજબુત બન્યું છે.

સખી મંડળની સાથે-સાથે તેઓ કાપડ-કટલેરીનુ વેંચાણ, મહીલાઓ માટે સીવણ ક્લાસ, સસ્તા અનાજની દુકાન ચલાવવાની સાથે સાબુ – ફિનાઈલનું ઘરે ઉત્પાદન કરીને તેઓ મહિને ૩૦ થી ૪૦ હજારની આવક મેળવીને આત્મ નિર્ભર બન્યા છે.

રાંભીબેન પોતાની સફળતાનો પુરો શ્રેય સરકારને આપે છે અને સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, આજે મને જે પણ સફળતા મળી છે તે સરકારની યોજનાઓ થકી મળેલી છે, આજે મારી આર્થીક સ્થિતી ખૂબ સારી છે અને કોઈના પર આધાર રાખવો પડતો નથી. તેઓએ અન્ય મહિલાઓને પણ સખીમંડળમાં જોડાવા, સરકારી યોજનાઓનો લાભ લેવા અને આત્મ નિર્ભર બનવા માટે પણ અપીલ કરી હતી.


રિપોર્ટર:- વિરમભાઇ કે. આગઠ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments