રાજકોટમાં હોટલ ગેસ્ટ હાઉસ સામે તવાઇ હાથ ધરવામાં આવી છે. હોટલ ગેસ્ટ હાઉસમાં આવતા મુસાફરોની વિગતો ફરજિયાત પથિક સોફ્ટવેરમાં ઓનલાઇન કરવા આદેશ આપવામાં આવ્યો છે. હોટેલ ગેસ્ટ હાઉસના માલિકોને કહેવામાં આવ્યું છે કે, બહારના જિલ્લા રાજ્યો અને વિદેશમાંથી મોટા પ્રમાણમાં આવતા મુસાફરોની નોંધ ફરજિયાત કરવામાં આવે.
કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન કરાવવા સૂચના
રાજકોટમાં હોટલ ગેસ્ટ હાઉસના માલિકોને આકરા શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, જો ઓનલાઇન એન્ટ્રી નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવશે. સાથે જ કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન પણ કરાવવાની સૂચના આપવમાં આવી છે.
તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં ભારતીયોના મોત થયા હતા. પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતીઓની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે તેથી રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે રાજકોટમાં હોટલ ગેસ્ટ હાઉસના માલિકો સામે તપાસ હાથ ધરવામાં આવી હોઈ શકે.