E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajkotRajkot : જેતપુરના કેરાળી ગામમાં ભાદર નદીના પાણીમાં જાણે બરફ પડ્યો હોય...

Rajkot : જેતપુરના કેરાળી ગામમાં ભાદર નદીના પાણીમાં જાણે બરફ પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા

રાજકોટ જિલ્લાના જેતપુરના કેરાળી ગામમાં ભાદર નદી અચાનક બે કાંઠે વહેવા લાગી હતી. આખી નદીમાં સફેદ ફીણના ગોટેગોટા જોવા મળ્યા હતાં. જાણે શિયાળાની ઋતુમાં કેરાળીમાં કાશ્મીર જેવો બરફ પડ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો.રાજકોટ જિલ્લાના જેતપુરના કેરાળી ગામમાં ભાદર નદી અચાનક બે કાંઠે વહેવા લાગી હતી. આખી નદીમાં સફેદ ફીણના ગોટેગોટા જોવા મળ્યા હતાં. જાણે શિયાળાની ઋતુમાં કેરાળીમાં કાશ્મીર જેવો બરફ પડ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. ખેડૂતોએ આવા પ્રદૂષિત પાણીથી છૂટકારો મેળવવા માટે ગુજરાત પ્રદૂષણ બોર્ડ પાસે માગ કરી છે.

જેતપુરમાં સાડી ઉદ્યોગ માટે ખૂબજ પ્રચલિત છે આ ઉપરાંત પ્રદૂષણ માટે પણ એટલો જ કુખ્યાત છે. વરસાદની સિઝનમાં જેતપુરના કેટલાય ગેરકાયદે સાડી ઉદ્યોગોનું પાણી નદીમાં છોડી દેવામાં આવતુ હોય છે. પરંતુ હાલમાં શિયાળો બરાબર જામ્યો છે અને ક્યાંય માવઠુ પણ થયું નથી. તે છતાંય કેરાળી ગામની ભાદર નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદીમાં સફેદ ફીણના ગોટેગોટા જોવા મળ્યા હતાં. નદીમાં પ્રદૂષણ ફેલાવા અંગે ખેડૂતો અને માલધારીઓએ પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે કહ્યું હતું કે, જેતપુરમાં ચાલી રહેતા સાડીઓના ગેરકાયદે યુનિટો દ્વારા પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવે છે.

રબારિકા ગામમાં સાડીઓના ગેરકાયદે એકમોનું પાણી વોકળામાં છોડી દેવાય છે. જે પાણી વોકળા મારફતે ભાદર નદીમાં ભળે છે. જે વરસાદી પાણીને પ્રદૂષિત કરી નાંખે છે. રબારિકા ગામના સાડી યુનિટો દ્વારા પ્રદૂષિત પાણી નદીમાં છોડાયું હશે જેના કારણે કેરાળી ગામની ભાદર નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. પ્રદૂષિત પાણીના પ્રવાહને કારણે આખી નદીમાં ફીણના ગોટેગોટા જોવા મળ્યા હતાં. આ અંગે નદી કાંઠાના ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવેલ કે, આવા કેમિકલ યુક્ત પાણીથી ફરજીયાત અમારે ખેતી કરવી પડે છે. આ પાણી તળમાં લાગી ગયું હોવાથી અમારા બોર, કૂવામાં પણ આવા જ પ્રદુષિત પાણીગ્રસ્ત થઈ ગયા છે. પ્રદૂષણ અંગે અનેકવાર રજુઆત કરીએ છીએ પરંતુ અમારું કોઈ સાંભળતા જ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments