રાજકોટ: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ રાજકોટની મુલાકાતે છે તેમના દ્વારા રાજકોટ શહેર-જિલ્લામાં થયેલા રૂ. 343.39 કરોડના 13 વિકાસ કામોનાં લોકાર્પણ તથા રૂ. 213.79 કરોડના 28 વિકાસ કામોનાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. આમ શહેર-જિલ્લાને કુલ રૂપિયા 557.18 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ મળી છે.
આ સાથે મુખ્યમંત્રી દ્વારા કાર્યક્રમ બાદ રાજકોટ મહાનગર પાલિકાના તમામ ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરો સાથે બેઠક યોજવામાં આવશે… આ બેઠકમાં આગામી મહાનગર પાલિકાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે…જિલ્લાના શહેરી, ગ્રામીણ, વાણિજ્ય, ઔદ્યોગિક તથા કૃષિ વિસ્તારોને અવિરત વીજ પુરવઠો પુરો પાડવા, ગુજરાત ઊર્જા પરિવહન નિગમ દ્વારા રૂ. 238.11 કરોડના ખર્ચે 66 કે.વી.ના નવા 7 સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
- હીરાસર એરપોર્ટ થી રેસકોર્ષ આર્ટ ગેલેરી સુધી બાય રોડ આવશે.
- 556 કરોડના 41 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
- 5.90 કરોડના ખર્ચે નિર્માણ પામેલી શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી નિહાળી લોકાર્પણ કરશે
- 20 ગામના 3400 લોકોનો પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે.
- 3 તાલુકાના 52 હજાર વિજ ગ્રહકોને નવા 7 સબ સ્ટેશન મળશે
આ કામોનું કરાયું ખાતમુહૂર્ત
- માર્ગ-મકાન વિભાગના 105.91 કરોડના કામોનું ખાતમુહૂર્ત
- RMC વિભાગના 50.52 કામોનું ખાતમુહૂર્ત
- આરોગ્ય વિભાગના 46.31 કામોનું ખાતમુહૂર્ત
- શહેરી વિકાસ વિભાગના 6.14 કામોનું ખાતમુહૂર્ત
- ઊર્જા વિભાગના 4.36 કામોનું ખાતમુહૂર્ત
- વન અને પર્યાવરણ વિભાગના 0.58 કામોનું ખાતમુહૂર્ત
રાજકોટ જિલ્લાના છેવાડાના વિસ્તારોના નાગરિકોને દરરોજ માથાદીઠ 100 લીટર પાણી મળી રહે તે માટે નર્મદા, જળસંપત્તિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રૂ.84.29 કરોડના ખર્ચે મોવિયા, મચ્છુ-1 અને પડધરી એમ ત્રણ જૂથ પાણી પુરવઠા યોજનાના વિસ્તરણનાં કામો સંપન્ન થયા છે. આ ત્રણ જૂથ યોજનાઓ થકી રાજકોટ, વાંકાનેર, ગોંડલ, કોટડાસાંગાણી, પડધરી, લોધિકા અને ધ્રોલ તાલુકાનાં 132 ગામ-નગરોના આશરે 3.70 લાખથી વધુ લોકોને માથાદીઠ 100 લીટર પાણી નિયમિત મળશે.
ક્યાં વિભાગનું લોકાર્પણ ?
- ઉર્જા વિભાગના 238.11 કરોડના કામોનું લોકાર્પણ
- જળસંપતિ – પાણી પુરવઠાવિભાગના 84.29 કરોડના કામોનું લોકાર્પણ
- રમતગમત વિભાગના 8.40 કરોડના કામોનું લોકાર્પણ
- માર્ગ મકાન વિભાગના 6.68 કરોડના કામોનું લોકાર્પણ
- RMCના 5.91 કરોડના કામોનું લોકાર્પણ