E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeIPLRCB સામે શરમજનક હાર બાદ શ્રેયસ અય્યરનું મોટું નિવેદન

RCB સામે શરમજનક હાર બાદ શ્રેયસ અય્યરનું મોટું નિવેદન

 ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ના પહેલા ક્વોલિફાયરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના સામે આઠ વિકેટથી કારમી હારનો સામનો કર્યા બાદ પંજાબ કિંગ્સ (PBKS)ના કેપ્ટન શ્રેયસ ઐયરે ટીમની નબળી બેટિંગને લઈને કહ્યું કે, ‘લડાઈ હાર્યા છીએ, યુદ્ધ નહીં…’

પંજાબ કિંગ્સને બીજી વખત IPL ફાઇનલમાં પહોંચવાની તક

ચંડીગઢના મુલ્લાનપુરમાં રમાયેલી ક્વોલિફાયર 1 મેચમાં આરસીબીએ પંજાબને 14.1 ઓવરમાં માત્ર 101 રનમાં ઓલઆઉટ કરી દીધું અને પછી ફક્ત 10 ઓવરમાં આ સરળ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. મેચ પછીના પ્રેઝન્ટેશનમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે સ્વીકાર્યું કે આઈપીએલ ક્વોલિફાયર 1માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે આઠ વિકેટથી થયેલા પરાજય દરમિયાન તેની ટીમ પિચને લઈને આશ્ચર્યમાં હતી. જોકે, પંજાબ કિંગ્સને બીજી વખત IPL ફાઇનલમાં પહોંચવાની તક મળશે જ્યારે તેઓ ક્વોલિફાયર 2 માં એલિમિનેટર વિજેતા ગુજરાત ટાઇટન્સ અથવા મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે.

શ્રેયસ ઐયરે શું કહ્યું?

આરસીબીના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ અને લેગ-સ્પિનર ​​સુયશ શર્મા સામે અનેક બેજવાબદાર શોટ રમવાને કારણે પંજાબની બેટિંગ નબળી પડી ગઈ હતી. પરંતુ શ્રેયસે મેદાન પરના તેના નિર્ણયો ખોટા હોવાનું સ્વીકારવાનો ઇનકાર કરતા કહ્યું કે, ‘હું મારા નિર્ણયો પર શંકા કરી રહ્યો નથી. અમે બેટિંગ પર ખાસ કરીને આવી પીચ પર કામ કરવું પડશે, અહીં રમાયેલી બધી મેચમાં અમને અસમાન ઉછાળો જોયો છે. પરંતુ આપણે આવા બહાના આપી શકતા નથી કારણ કે અમે ખેલાડી છીએ અને પરિસ્થિતિ અનુસાર રમવું પડશે, અને તે જ સ્તરે પ્રદર્શન કરવું પડશે. વધુમાં તેમણે કહ્યુ કે, ‘આ દિવસ ભૂલવાનો નથી, પરંતુ અમારે ડ્રોઇંગ બોર્ડ પર પાછા જવું પડશે. અમે ખૂબ જ ઝડપથી વિકેટ ગુમાવી દીધી. અમે જે પણ યોજના બનાવી હતી, તે બધુ બરાબર હતું. આપણે તેને મેદાન પર અમલમાં મૂકી શક્યા નહીં. આપણે બોલરોને પણ દોષ આપી શકીએ નહીં, કારણ કે લક્ષ્ય ખૂબ ઓછું હતું.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments