E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeSportsSPORTS : RCBએ ચિન્નાસ્વામી ભાગદોડમાં મૃતકોના પરિવાર માટે કરી મોટી જાહેરાત, મળશે...

SPORTS : RCBએ ચિન્નાસ્વામી ભાગદોડમાં મૃતકોના પરિવાર માટે કરી મોટી જાહેરાત, મળશે મોટી રકમ

ચિન્નાસ્વામીમાં ભાગદોડ દરમિયાન મૃતકોના પરિવારની મદદ માટે આસસીબીની ટીમ આગળ આવી છે. RCBએ ઘટનામાં મૃત્યુ પામેલા 11 લોકો માટે 10-10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

RCBએ 17 વર્ષનો દુષ્કાળ પૂર્ણ કરતાં આઈપીએલનું ટાઈટલ પહેલીવાર જીત્યું છે. ટીમના ચેમ્પિયન બન્યા બાદ ચિન્નાસ્વામી મેદાન પર લાખો ફેન્સ આરસીબીના જીતના જશ્નમાં સામેલ થયા હતા. પરંતુ ત્યારે પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે ભાગદોડ મચી ગઈ. ભાગદોડના કારણે ચારેબાજુ અફરાતફરી મચી ગઈ અને 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ સાથે 33 લોકો ઘાયલ પણ થયા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની જીતના જશ્નમાં સામેલ થવા ચિન્નાસ્વામી પહોંચેલા 11 ફેન્સે પોતાનો જીવ ગુમાવ્યો. હાલમાં RCBની ટીમ ચિન્નાસ્વામી ભાગદોડના મૃતકોના પરિવારની મદદ માટે આગળ આવી છે. RCB ટીમે મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.
આરસીબી એ આઈપીએલ 2025ની ફાઈનલની મેચમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું અને પહેલી વાર ટાઈટલ જીત્યું. ટીમના ચેમ્પિયન બન્યા બાદ બેંગ્લુરુમાં જોરદાર જશ્ન મનાવવામાં આવ્યો. ફેન્સે રસ્તા પર ઉતરીને RCBની જીતને ખૂબ જ સેલિબ્રેટ કરી.

RCBની 17 વર્ષની રાહ આખરે સમાપ્ત થઈ અને પહેલી વાર આઈપીએલ ટ્રોફી પોતાને નામ કરી. આરસીબીનું પ્રદર્શન ફાઈનલ મેચમાં જબરજસ્ત રહ્યું. ટીમે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને સ્કોર બોર્ડ પર 190 રન બનાવ્યા. RCB ટીમ તરફથી વિરાટ કોહલીએ 43 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન રજત પાટીદારે 26 રનનું યોગદાન આપ્યું. 191 રન ચેઝ કરતાં પંજાબની ટીમ માત્ર 6 રનથી દૂર રહી ગઈ. પંજાબની ટીમે 7 વિકેટ ગુમાવીને 184 રન જ બનાવી શક્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments