E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratSuratSurat : ઓલપાડના દેલાસા ગામે શ્રી હનુમાન દાદા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની...

Surat : ઓલપાડના દેલાસા ગામે શ્રી હનુમાન દાદા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના દેલાસા ગામે શ્રી હનુમાન દાદા ના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી અને 5 તારીખે દેલાસા ગામે હનુમાન દાદા ને ધોડેસવારી મા બેસાડીને દેલાસા ગામમાં ડી.જે સાથે વરઘોડો અને કળશ યાત્રા કાઢીને ઉજવણી ધૂમ-ધામથી કરવામાં આવી હતી.

આ પ્રસંગે 6 તારીખે હનુમાન દાદા ના મંદિરમાં નવ બ્રાહ્મણો ની ટીમે યજ્ઞમાં પાટલે બેઠેલ ૩૧ દંપત્તિ ભક્તો પાસે પૂજા-અર્ચના કરાવી ” હનુમાનદાદા” સહિત મંદિરમાં શ્રી ગણેશજી,શ્રી વરુણદેવ ,શ્રી ઇન્દ્રદેવ ,શ્રી યમ દેવ અને શ્રી કુબેર દેવ,ને મૂર્તિમાં પ્રાણ પુરી દેવી-દેવતાઓને બિરાજમાન કરાવી જીવનની ધન્યતા અનુભવી હતી.હનુમાન દાદા ત્યાર બાદ હનુમાન દાદા નામકરણ કરવામા આવ્યું હતું હનુમાન સ્થાપના દિન – 6/6/2025 અને દાદા ની રાશિ જોતા કન્યા રાશિ આવતા હનુમાન દાદા નું નામ જય શ્રી પરોપકારી હનુમાન દાદા રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે અનેક દાતાઓના સાથ-સહકારથી રૂપિયા ૧૧ લાખના ખર્ચે આ મંદિરનું નિર્માણ થયેલ છે. આ નિમિત મંદિર નિર્માણમાં વિવિધ દાન આપનાર દાતાઓનું સન્માન,લોક ડાયરો તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામજનો ભાઈઓ અને બહેનો સહિતના અગ્રણીઓ અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

Reporter :આસ્તિક પટેલ,ઓલપાડ, સુરત

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments