ગુજરાતના સુરતના વરાછા વિસ્તારમાં કૂટણખાનું ચાલતુ હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડીને એમ્બ્રોઈડરી યુનિટના કારખાનામાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે 1 સંચાલિકા, 3 મહિલા અને 6 ગ્રાહકોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરતના વરાછાના ઘનશ્યામ નગર ખાતે આવેલા એક એમ્બ્રોઈડરી યુનિટમાં બુધવાર (2 મે)ના રોજ પોલીસ દ્વારા દરોડા પાડતાં કૂટણખાનું ઝડપાયું હતું. જેમાં પોલીસે ગોરખધંધા ચલાવતી મહિલા સંચાલક, દેહવ્યાપારનો ધંધો કરતી ત્રણ મહિલાઓ અને છ ગ્રાહકોને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, ઉદ્યોગ ક્ષેત્ર ઘનશ્યામ નગર હાલમાં વિકસિત થઈ રહ્યું છે. જ્યાં એમ્બ્રોઈડરીના અનેક યુનિટ્સ આવેલા છે અને ત્યાં કામ કરતાં મજૂરો સહિતના લોકોને રહેવા માટેની રેસિડેન્સ પણ છે. જ્યારે ઉદ્યોગ વિસ્તાર તરીકે ઓળખાતો આ વિસ્તારમાં કેટલીક ગેરકાયદેસરની પ્રવૃતિઓ ચાલતી હોવાનું સામે આવ્યું છે. વરાછા પોલીસે બાતમીના આધારે એમ્બ્રોઈડરી યુનિટના કારખાનામાં દરોડા પાડીને ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો.