E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSurendranagar : થાનના વેલાળમાં ખરાબામાંથી કોલસાના 10 કૂવા મળી આવ્યા

Surendranagar : થાનના વેલાળમાં ખરાબામાંથી કોલસાના 10 કૂવા મળી આવ્યા

થાન મામલતદાર તથા તેમની ટીમ દ્વારા ખનિજ ચોરી સામે સતત બીજા દિવસે કાર્યવાહી હાથ ધરી વેલાળ ગામમાં ખરાબામાંથી કોલસાના ૧૦ કૂવા ઝડપી પાડયા હતા. મામતદારની ટીમે સ્થળ ફરથી રૂ.૫૫ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

થાન તાલુકાના વેલાળા ગામમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર રીતે ચાલતા કોલસાના કૂવા પર બાતમીના આધારે થાન મામલતદાર સહિતની ટીમે રેઇડ કરી હતી. દોરાડા દરમિયાન કુલ ૧૦ કોલસાના કૂવા ગેરકાયદેસર રીતે કાર્યરત હોવાનું સામે આવ્યું હતું. મામલતદારની ટીમે સ્થળ પરથી ખનન કામગીરીમાં ઉપયોગમાં લેવાતા ૩ ટ્રેક્ટર, ૧ ડમ્પર, ૨ જનરેટર તેમજ ૦૮ ચરખીના સેટ (કુલ ૧૬ પીસ), અંદાજે ૬૦ ટન કોલસો સહિત ફૂલ રૂ.૫૫ લાખનો મુદામાલ કબજે કરી થાન મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો અને આ અંગે સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments