હનુમાનજીના અવતરણ દિવસ તરીકે આ પાવન તહેવારની શહેરભરામાં ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે બજરંગ બલીની જ્યંતિના એક દિવસ પહેલા જ અમદાવાદમાં નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે બીજી એપ્રિલે ગુરુવારે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાશે. હનુમાનજીના અવતરણ દિવસ તરીકે આ પાવન તહેવારની શહેરભરામાં ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે બજરંગ બલીની જ્યંતિના એક દિવસ પહેલા જ અમદાવાદમાં નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં કેમ્પ હનુમાનજી મંદિરેથી નગરયાત્રા નીકળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરેથી આજે હનુમાન જયંતિના એક દિવસ પહેલા નગરયાત્રા નીકળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નગરયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ઓપરેશન સિંદૂરનો ટેબ્લો પણ યાત્રામાં શામેલ કરાયો છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતાં. આ વખતે ગજરાજ પણ શોભાયાત્રામાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અનેક જગ્યાએ હનુમાન જ્યંતિની ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.


