લગ્ન સમારોહ એટલે આનંદનો અવસર, પરિવારમાં હર્ષ ઉલ્લાસનો માહોલ હોય છે. પરિવારનો દરેક વ્યક્તિ તેમા જોડાયેલો હોય છે. લગ્ન પૂર્ણ થાય એટલે પરિજનો રાહતનો શ્વાસ લે. કારણ કે છેલ્લા ઘણા દિવસોથી લગ્નની તૈયારીઓ ચાલતી હોય. તેવામાં એક લગ્ન સમારોહ પૂર્ણ થયા બાદ એવુ થયુ કે પરિજનોએ પંચાયત બોલાવવી પડી અને લગ્ન કરાવેલા હતા તેમ છતાં દુલ્હનના ફરી લગ્ન કરાવાયા આવો જાણીએ કેમ
વાત છે યુપીના મ્યોરપુર પોલીસ સ્ટેશન વિસ્તારની. અહીં એક યુવતીના લગ્ન 27મે બભનીમાં રહેતા યુવક સાથે થયા. ધામધૂમથી લગ્ન કરાવ્યા. લગ્ન થયા બાદ દુલ્હન 28મેના રોજ પોતાની સાસરીએ આવી. ઘરમાં ઉમંગનો માહોલ હતો. ઘરમાં આખો દિવસ ગામના લોકોની અવરજવર રહેતી હતી. વહુને જોવા લોકો આવતા હતા. પરંતુ જેવી સાંજ પડી કે દુલ્હનતો જાણે ગાયબ થઇ ગઇ. જી, હા આખા ઘરમાં પણ શોધ્યે ન મળે. પછીથી ખબર પડી કે દુલ્હનનો પહેલો પ્રેમી તેના સાસરિયે આવ્યો અને દુલ્હનને ભગાડી ગયો હતો.
અહીં તો સાસરિયા વાળાએ શોધખોળ શરૂ કરી. જો કે અંતે તો દુલ્હન તેના પિયરમાંથી જ મળી. વધુ તપાસ કરતા સામે આવ્યું કે દુલ્હનને છેલ્લા ઘણા સમયથી ગામમાં રહેતા એક યુવક સાથે પ્રેમ હતો. દુલ્હનના ઘરના લોકોને ખબર હતી તેમ છતાં તેના લગ્ન બીજે કરાવ્યા. આ બાબતની જાણ દુલ્હનના પ્રેમીને થતા જ તે તેને લેવા સાસરિયે પહોંચ્યો અને સુહાગરાત પહેલા જ ભગાડી ગયો.
આ સમગ્ર મામલો સામે આવતા દુલ્હનના પિયરે તેના સાસરિયા વાળા અને પ્રેમીના ગામના લોકોની પંચાયતની બેઠક મળી. આ બેઠકમાં દુલ્હનના સાસરિયાએ તેને અપનાવવાની સખત ના પાડી દીધી અને લગ્નનો ખર્ચો માંગ્યો. દુલ્હનના માતા પિતાએ આ જવાબદારી તેના પ્રેમી પર નાંખી. અંતે ત્રણેય ગામની પંચાયત બેઠકમાં નિર્ણય લેવાયો કે દુલ્હન પ્રેમી સાથે જશે અને કોર્ટ મેરેજ કરી લેશે. આ સાથે જ દુલ્હનના પ્રેમીને લગ્નમાં થયેલા ખર્ચો વરરાજાને આપવાનું ફરમાન સંભળાવ્યુ ..