E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeIndiaUP New DGP: કોણ છે રાજીવ કૃષ્ણ? જે બન્યા ઉત્તરપ્રદેશના નવા ડીજીપી

UP New DGP: કોણ છે રાજીવ કૃષ્ણ? જે બન્યા ઉત્તરપ્રદેશના નવા ડીજીપી

ઉત્તર પ્રદેશના નવા DGP તરીકે રાજીવ કૃષ્ણાની નિમણુંક કરવામાં આવી છે. તેમની પોલીસ તરીકે કામ કરવાની રીત કંઈક અલગ રહી છે. આગ્રા SSP તરીકેનો તેમનો કાર્યકાળ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ ઉપરાંત, કોતરોમાં એક્ટિવ અપહરણ ગેંગ સામે રાજીવ કૃષ્ણાની કાર્યવાહી ઘણી કમાલની અને ચર્ચાસ્પદ રહી છે. ત્યારે જાણો કે ઉત્તર પ્રદેશના નવા DGP કોણ છે?

રાજીવ કૃષ્ણાનો જન્મ 20 જૂન 1969ના રોજ થયો હતો. તેઓ યુપીની રાજધાની લખનૌના રહેવાસી છે. તેમણે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બેચલર ઓફ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે 1991માં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી અને IPS અધિકારી બન્યા હતા. IPS રાજીવ કૃષ્ણા 2004માં આગ્રામાં SSP તરીકે ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. આગ્રા SSP તરીકે, તેમણે ગુનેગારો સામે ખાસ અભિયાન શરૂ કર્યું હતું. આ સાથે રાજીવ કૃષ્ણાએ કોતરોમાં એક્ટિવ અપહરણ ગેંગ સામે અસરકારક કાર્યવાહી કરી હતી. એડીજી આગ્રાથી તેમને ગયા વર્ષે જ ડીજી વિજિલન્સ તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેઓ હાઈ-ટેક પોલીસિંગ માટે જાણીતા છે.

7 ઓગસ્ટ 2007ના રોજ તેમને ડીઆઈજી પદ પર પ્રમોશન આપવામાં આવ્યું હતું. 9 નવેમ્બર 2010ના રોજ તેમને આઈજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરી 2016ના રોજ રાજીવને એડીજી બનાવવામાં આવ્યા હતા. આ પછી 1 ફેબ્રુઆરી 2025ના રોજ તેમને ડીજી પદ પર પ્રમોશન આપવામાં આવ્યું હતું. રાજીવ કૃષ્ણ 1991ની બેચના યુપી કેડરના સિનિયર આઈપીએસ અધિકારી છે. તેઓ હાલમાં યુપી પોલીસમાં ડીજી તરીકે કામગીરી કરે છે અને ડીજી વિજિલન્સ તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત, તેમની પાસે યુપી પોલીસ ભરતી બોર્ડની જવાબદારી પણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments