વડોદરા જિલ્લાના કરજણના સંતોષનગર પાસે પ્રગટાવાયેલી હોળીની પ્રજ્વલિત આગ ઉંચે સુધી વીજ નિગમ ઇલેક્ટ્રીક લાઈન પર લાગેલા તારને સ્પર્શી હતી. પરિણામે ચાલુ વીજ પ્રવાહનો તાર અચાનક તુટતા લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

લોકોમાં થયેલી ભાગદોડના કારણે સ્થાનિકોનો આરોપ છે કે વીજ નિગમની ફોન હેલ્પલાઇન નંબર આ સમયે બંધ હતો અને તૂટેલો વીજ તાર હટાવવાની વારંવાર રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી વીજ નિગમ દ્વારા કરવામાં આવી ન હતી.


