E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeWorldWORLD : અફઘાનીઓ હવે ભારતની યાત્રા કરી શકશે, સરકારે 5 વર્ષ પછી...

WORLD : અફઘાનીઓ હવે ભારતની યાત્રા કરી શકશે, સરકારે 5 વર્ષ પછી વિઝા સેવા ફરી શરૂ કરી

ભારતે પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો છે, તો બીજી બાજુ અન્ય એક પડોશી દેશ અફઘાનિસ્તાન માટે વિઝા સેવાઓ શરૂ કરી છે. તાલિબાન સાથે ભારતના સંબંધોમાં સુધારાના પ્રયાસના ભાગરૂપે ભારતે અફઘાનીઓ માટે પાંચ વર્ષ બાદ ફરી વિઝા સેવા શરૂ કરી છે. આ સેવા ‘ન્યૂ અફઘાન વિઝા’ મોડ્યુલ હેઠળ ઉપલબ્ધ થશે.

બિઝનેસ, મેડિકલ, અને કલાકારો-સંબંધીઓને મળવા માટે હવે અફઘાનીઓને ભારતના વિઝા મળશે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો મેળવી લેવાયા બાદ ભારતે તેના નાગરિકો માટે તમામ વિઝા સેવાઓ બંધ કરી હતી. જે હવે પાંચ વર્ષ બાદ શરૂ થઈ હોવાનું સરકારના સત્તાવાર વિઝા પોર્ટલ indianvisaonline.gov.in પર જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ, યુએન ડિપ્લોમેટ વિઝા પર પણ ભારતમાં એન્ટ્રી મળશે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં ન્યૂ અફઘાન વિઝા મોડ્યુલ અમલમાં મુકાયું હતું.

વિદ્યાર્થી, બિઝનેસ, મેડિકલ, મેડિકલ અટેન્ડન્ટ, એન્ટ્રી અને યુએન ડિપ્લોમેટ વિઝા સહિત કેટેગરીમાં ભારતના વિઝા મળશે. અરજદારોએ પોતાનો ચહેરો સ્પષ્ટ દેખાય તે રીતનો ફોટોગ્રાફ, પાસપોર્ટ, નેશનલ આઈડી કાર્ડ (જેમાં નામ, જન્મ તારીખ, રાષ્ટ્રીયતા, અને એક્સપાયરી તારીખ) રજૂ કરવાના રહેશે.

અફઘાનિસ્તાનના કલાકારો, સાંસ્કૃતિક કામ સાથે સંકળાયેલા લોકો, શિક્ષણવિદો, અને પ્રોફેશનલ્સને ભારતમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કે એક્ટિવિટીમાં ભાગ લેવા માટે એન્ટ્રી વિઝા મળશે. ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડહોલ્ડર્સ પણ આ વિઝા મેળવી શકશે. ભારતમાં પ્રોપર્ટી ધરાવતા અફઘાનીઓ, ભારતમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ આ વિઝા માટે અરજી કરી શકશે. 18 વર્ષથી નીચેની વયજૂથના વિદ્યાર્થીઓના વાલીઓ એન્ટ્રી વિઝા કેટેગરીમાં સરળતાથી વિઝા મેળવી શકશે.

બિઝનેસ વિઝા કેટેગરીમાં અફઘાનિસ્તાનના સ્પોર્ટ્સપર્સન, કોચ સહિત રોકાણકારો અને ભારતમાં બિઝનેસ કરવા માગતાં બિઝનેસમેનને આવરી લેવામાં આવ્યા છે.

તાલિબાને ભારતને ખાતરી આપી છે કે, તે ભારતની ભૂમિ પર આતંકવાદ સંબંધિત કોઈ પ્રવૃત્તિઓ નહીં કરે. યુનાઈટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે તાજેતરમાં જારી કરેલા નિવેદન અનુસાર, ભારત અફઘાનિસ્તાનની સ્થિતિ પર દેખરેખ તેમજ તાલિબાન સાથે સંબંધો સુધારવા ચર્ચા-વિચારણા કરી રહ્યું છે. સુરક્ષા, સ્ટુડન્ટ વિઝા અને વેપાર સંબંધો સુધારવા પર ફોકસ કરી રહ્યા છે. એપ્રિલમાં દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે કાબુલમાં આ સંદર્ભે મુલાકાત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments