ગયા વર્ષે 5 ઓગસ્ટ, 2024ના રોજ બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર ઉથલાવી દેવામાં આવી હતી. તેમના પછી, મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા બનાવવામાં આવ્યા હતા. તેઓ ફક્ત થોડા મહિનાઓ માટે વચગાળાની સરકારના વડાં હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આગામી થોડા મહિનામાં ચૂંટણીઓ યોજાશે પરંતુ અત્યાર સુધી એ થયું નથી.
બાંગ્લાદેશના મીડિયા અનુસાર ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલના વકીલ મોહમ્મદ તાજુલ ઇસ્લામે કોર્ટની સુનાવણી દરમિયાન શેખ હસીનાના રાજીનામા સાથે જોડાયેલી ઘટના જણાવી છે. તાજુલ ઇસ્લામે કહ્યું કે, ‘5 ઓગસ્ટ, 2024 ના રોજ, જ્યારે સૈન્ય અધિકારીઓએ બળવા દરમિયાન શેખ હસીનાને રાજીનામું આપવા કહ્યું, ત્યારે શેખ હસીનાએ કહ્યું હતું કે મને ગોળી મારીને અહીં બંગભવન (રાષ્ટ્રપતિ નિવાસસ્થાન) માં દફનાવી દો.’ આ પછી, શેખ હસીનાએ ભારતમાં આશરો લીધો.
ગયા વર્ષે બાંગ્લાદેશમાં થયેલા બળવા પછી, બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ સતત વિરોધ કરી રહ્યા છે અને મોહમ્મદ યુનુસ સરકાર સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. એવામાં સેનાએ મોરચો સંભાળી લીધો છે. આવી સ્થિતિમાં, હવે સેના ઇચ્છે છે કે દેશમાં શક્ય તેટલી વહેલી તકે ચૂંટણીઓ યોજવામાં આવે જેથી સેના તેના બેરેકમાં પાછા ફરી શકે. આવી સ્થિતિમાં, બાંગ્લાદેશમાં આ ત્રણ મોટા પગલાં યુનુસ સરકારને ઉથલાવી શકે છે.
શેખ હસીનાએ સત્તા છોડ્યા પછી, બાંગ્લાદેશમાં પરિસ્થિતિ તંગ બની ગઈ છે. બાંગ્લાદેશ સેનાની કટોકટી બેઠકમાં પાંચ લેફ્ટનન્ટ જનરલ, આઠ મેજર જનરલ (જીઓસી), સ્વતંત્ર બ્રિગેડના કમાન્ડિંગ ઓફિસર અને આર્મી હેડક્વાર્ટરના અન્ય મુખ્ય અધિકારીઓએ ભાગ લીધો હતો.
બાંગ્લાદેશમાં આતંકવાદીઓના હાથમાં સત્તા, યુનુસે દેશ અમેરિકાને વેચી દીધો: ઉથલપાથલ વચ્ચે શેખ હસીનાનું નિવેદન
બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર અને સૈન્ય વચ્ચેનો ખટરાગ સામે આવ્યો, ફરી માર્ગો પર આંદોલનની ચીમકી
બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર અને સૈન્ય વચ્ચેનો ખટરાગ સામે આવ્યો, ફરી માર્ગો પર આંદોલનની ચીમકી
‘મને બંધક જેવું લાગી રહ્યું છે…’ અકળાયેલા મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારનું પ્રમુખ પદ છોડવા તૈયાર
‘મને બંધક જેવું લાગી રહ્યું છે…’ અકળાયેલા મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારનું પ્રમુખ પદ છોડવા તૈયાર
બાંગ્લાદેશમાંથી આંખે પાટા બાંધીને બોર્ડર ક્રોસ કરાવાય છે,નારી સંરક્ષણ ગૃહમાંથી ભાગેલી યાસ્મીનનો પત્તો નથી
બાંગ્લાદેશમાંથી આંખે પાટા બાંધીને બોર્ડર ક્રોસ કરાવાય છે,નારી સંરક્ષણ ગૃહમાંથી ભાગેલી યાસ્મીનનો પત્તો નથી
બાંગ્લાદેશની વચગાળાની સરકારના એક અન્ય સલાહકાર કહે છે : નરેન્દ્ર મોદી અને મોહમ્મદ યુનુસની મંત્રણા સફળ રહી છે