આજે એટલે કે 6 મે ના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ અસ્થમા દિવસ તરીકે ઉજવવામાં આવશે. દર વર્ષે મે મહિનાના પહેલા મંગળવારે વિશ્વ અસ્થમા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય અસ્થમા વિશે જાગૃતિ ફેલાવવાનો, તેના લક્ષણો ઓળખવાનો અને તેને રોકવાનો છે. આજે એટલે કે 6 મે ના રોજ વિશ્વ અસ્થમા દિવસ ઉજવવામાં આવશે. તે દર વર્ષે મે મહિનાના પહેલા મંગળવારે ઉજવવામાં આવે છે. તેનો હેતુ અસ્થમા વિશે જાગૃતિ ફેલાવવાનો છે. વિશ્વભરમાં છેલ્લા કેટલાક સમયથી અસ્થમના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને કોરોના દરમિયાન અનેક લોકોને શ્વાસ સંબંધિત સમસ્યા વધી હોવાનું સામે આવ્યું છે.
અસ્થમા દિવસનો ઇતિહાસ
અસ્થમા એક ક્રોનિક એટલે કે ગંભીર બીમારી છે. આ રોગ વ્યક્તિના શ્વસન માર્ગને અસર કરે છે. આમાં, દર્દીને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં જકડાઈ જવું , ઉધરસ અને સીટીનો અવાજ આવે છે. ધૂળ, ધુમાડો, પરાગ, હવામાનમાં ફેરફાર કે તણાવને કારણે આ સમસ્યા વધુ વધે છે. વિશ્વ અસ્થમા દિવસની શરૂઆત 1998માં ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા (GINA) દ્વારા કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય લોકોને અસ્થમાની ગંભીરતા, તેના લક્ષણો અને તેના પરિણામો વિશે જાગૃત કરવાનો હતો. ત્યારથી, દર વર્ષે GINA વિશ્વભરના આરોગ્ય સંગઠનો સાથે મળીને આ ખાસ દિવસની ઉજવણી કરે છે.
અસ્થમા દિવસની થીમ
દર વર્ષે વિશ્વ અસ્થમા દિવસની થીમ અલગ હોય છે. આ વખતે, એટલે કે વિશ્વ અસ્થમા દિવસ 2025 પર, થીમ છે – ‘શ્વાસ દ્વારા લેવામાં આવતી સારવાર બધા માટે સુલભ બનાવો’ એટલે કે ‘અસ્થમાનું શિક્ષણ જીવનને સશક્ત બનાવે’ તે છે. અસ્થમા રોગ વિષેની જાણકારી જીવનને સશક્ત બનાવે છે. આનો અર્થ એ થયો કે જો લોકોને અસ્થમા વિશે સાચી માહિતી આપવામાં આવે, તો તેઓ તેને સમજી શકે છે અને તેમના સ્વાસ્થ્યની વધુ સારી રીતે કાળજી લઈ શકે છે અને ભય વિના સામાન્ય જીવન જીવી શકે છે. વાસ્તવમાં, આ થીમનો અર્થ અસ્થમાથી પીડિત લોકોને જરૂરી દવાઓ પૂરી પાડવાનો અને આ રોગને નિયંત્રિત કરવાનો છે. અસ્થમા એક એવો રોગ છે જેમાં વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આમાં, ફેફસાંની નળીઓ ફૂલી જવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. અત્યારે પ્રદૂષણ વધ્યુ છે. અને એટલે જ અસ્થમાના દર્દીઓ પણ વધી રહ્યા છે. અસ્થમાના દર્દીઓને યોગ્ય સારવાર મળે લોકો આ રોગ પ્રત્યે વધુ સભાન બને માટે વર્લ્ડ અસ્થમા દિવસ ઉજવવામાં આવે છે.