E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : ડભોઇ ₹2.30 કરોડના ખર્ચે બનેલા સરદાર બાગમાં લોકાર્પણના 6 જ...

Vadodara : ડભોઇ ₹2.30 કરોડના ખર્ચે બનેલા સરદાર બાગમાં લોકાર્પણના 6 જ દિવસમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી…

ડભોઇ ₹2.30 કરોડના ખર્ચે બનેલા સરદાર બાગમાં લોકાર્પણના 6 જ દિવસમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી ડભોઇ ખાતે તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા સરદાર બાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સરકારને ઘેરી છે. વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ બાગની મુલાકાત લઈને કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહારો મુલાકાત દરમિયાન અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ બાગ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે. તેમના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ હતા:


​કરોડોની ખાયકી: ₹2.30 કરોડના કુલ ખર્ચમાંથી અંદાજે ₹2 કરોડની ખાયકી થઈ હોવાનો દાવો કર્યો છે.નબળી ગુણવત્તા: બાગ ખુલ્લો મૂકાયાના માત્ર 6 જ દિવસમાં લોખંડના સાધનો પરથી કલર ઉખડી ગયો છે અને કાટ લાગવાની શરૂઆત થઈ ગઈ છે.વહીવટી તંત્ર પર સવાલ: ચીફ ઓફિસરની બદલી થઈ હોવા છતાં તેમને છૂટા કરવામાં આવ્યા નથી. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે, કદાચ આનો હપ્તો છેક (ભાજપ કાર્યાલય) સુધી જતો હશે, એટલે જ અધિકારીને છૂટા કરાતા નથી.”EDની તપાસની માંગ: અમિત ચાવડાએ સીધો પડકાર ફેંકતા કહ્યું કે, “જો અમિત શાહ અને નરેન્દ્ર મોદીને ગુજરાતની ખરેખર ચિંતા હોય, તો EDને ચીફ ઓફિસરના ત્યાં મોકલે, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.વિધાનસભામાં ગુંજશે ભ્રષ્ટાચારનો મુદ્દોવિરોધ પક્ષના અન્ય નેતા તુષાર ચૌધરીએ પણ બાગની દુર્દશા જોઈને રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે:સરદાર બાગના નિર્માણમાં થયેલા આ વ્યાપક ભ્રષ્ટાચારના પુરાવાઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે.


​જનતાના ટેક્સના પૈસાનો આ રીતે દુરુપયોગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવશે.નિષ્કર્ષ: સ્થાનિક સ્તરે આ મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો છે. કરોડોના ખર્ચે બનેલો બાગ અઠવાડિયામાં જ બિસ્માર હાલતમાં દેખાવા લાગતા તંત્રની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.

Reporter : ફકીરા ખત્રી ડભોઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments