અમદાવાદના સાણંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 28 તારીખે ભવ્ય રોડ-શો યોજાનાર છે. વડાપ્રધાનનો સાણંદ હેલિપેડથી સભા સ્થળ સુધી રોડ-શો યોજાશે, જેને લઇ સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ છે. આશરે 3 કિમીનો રોડ શો યોજાશે.વડાપ્રધાન સાણંદ ખાતે સેમિકન્ડક્ટર યુનિટનું લોકાર્પણ કરશે. ખાસ કરીને માઈક્રોન પ્લાન્ટના ઉદ્ઘાટનને લઇ દેશ-વિદેશમાં ચર્ચા ચાલી રહી છે. આ પ્રોજેક્ટને ભારત માટે ટેકનોલોજી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

રોડ-શો અને કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને જનસભાની તમામ વ્યવસ્થાઓ માટે અધિકારીઓએ સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી છે.


