HomeTop NewsTop News : અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગથી અફરાતફરી, 5-6 જેટલી...

Top News : અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગથી અફરાતફરી, 5-6 જેટલી દુકાનો આગની ઝપેટમાં

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કાલુપુર વિસ્તારના પાંચકુવા રેવડી બજાર માર્કેટમાં આજે(18 માર્ચ) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. 5-6 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. આગની તીવ્રતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેટની ટીમ ઘટના સ્થળે પહોંચી

ફાયર કંટ્રોલ રૂમને જાણ થતા જ ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. હાલ ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મિલકતને મોટા નુકસાનની ભીતિ છે.

રેવડી બજાર કાપડના વેપાર માટે જાણીતું હોવાથી માર્કેટમાં માલ-સામાનનો મોટો જથ્થો હોય છે, જેના કારણે આગ વધુ પ્રસરવાનો ભય સેવાઈ રહ્યો છે. આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments