E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ, સ્વામી અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલી વધી!

National : મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ, સ્વામી અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલી વધી!

જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે ચાલી રહેલી કાનૂની તપાસમાં એક મોટો વળાંક આવ્યો છે. સગીર બટુકોના જાતીય શોષણના ગંભીર આરોપો બાદ કરવામાં આવેલા મેડિકલ પરીક્ષણમાં કુકર્મની પુષ્ટિ થઈ હોવાના અહેવાલોથી ખળભળાટ મચી ગયો છે.પ્રયાગરાજના ઝૂંસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો (POCSO) એક્ટ હેઠળના કેસમાં પોલીસે બંને સગીર પીડિત બાળકોનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટમાં બાળકો સાથે કુદરતી ક્રમ વિરુદ્ધના કૃત્ય (કુકર્મ)ની પુષ્ટિ થઈ છે. આ રિપોર્ટને હવે પોલીસ દ્વારા કેસ ડાયરીમાં મહત્વના પુરાવા તરીકે સામેલ કરવામાં આવ્યો છે, જે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ માટે કાયદાકીય ફાંસો વધુ મજબૂત બનાવી શકે છે.

ધરપકડની ભીતિ વચ્ચે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે અલ્લાહાબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. આ અરજી પર આવતીકાલે જસ્ટિસ જિતેન્દ્ર કુમાર સિંહાની બેંચમાં સુનાવણી હાથ ધરાશે. જો કોર્ટ તરફથી જામીન નામંજૂર કરવામાં આવે, તો પોલીસ દ્વારા તેમની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવી શકે છે.

આ કેસમાં ફરિયાદ કરનાર આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો છે કે તેમની પાસે એક લેપટોપ છે જેમાં જાતીય શોષણને લગતા ફોટા અને વીડિયો સહિતના સજ્જડ પુરાવા છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે આ કૌભાંડમાં માત્ર સ્વામી જ નહીં પરંતુ અન્ય કેટલાક VIP વ્યક્તિઓ અને રાજકીય નેતાઓ પણ સામેલ હોઈ શકે છે. આશુતોષ બ્રહ્મચારીએ આશ્રમમાં કરોડો રૂપિયાના નાણાકીય કૌભાંડ અને પુરાવા મિટાવવાના પ્રયાસોના પણ ગંભીર આરોપો લગાવ્યા છે.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય મુકુન્દાનંદ ગિરી સહિત અન્ય લોકો વિરુદ્ધ સગીર બાળકોના જાતીય શોષણ બદલ પોક્સો કોર્ટના આદેશ પર FIR નોંધવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં પીડિતોએ કોર્ટ સમક્ષ પોતાના નિવેદનો નોંધાવ્યા છે અને હવે મેડિકલ રિપોર્ટ આવતા તપાસ તેજ બની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments