કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે જે વ્યક્તિ હિન્દુઓ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરે છે તેને ન તો ભારતના બંધારણમાં વિશ્વાસ છે અને ન તો તેને ભારતની સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની હિન્દુ ધર્મ અને હિન્દુ દેવતાઓ વિશેની ટિપ્પણીઓ પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે મદનીના જેહાદના નિવેદનનો પણ જવાબ આપ્યો છે. રેવંત રેડ્ડીના નિવેદન અંગે ગિરિરાજ સિંહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ હિન્દુઓ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે અને જે કોઈ આવી ભાષા બોલે છે તે ભારતીય બંધારણમાં માનતો નથી અને ભારતીય સંસ્કૃતિ સાથે તેનો કોઈ સંબંધ નથી.
સંસદ સંકુલમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે જે લોકો આવી ભાષા બોલે છે તેમની લાગણીઓ મુઘલ આક્રમણકારો સાથે જોડાયેલી હશે. ફક્ત તેવી જ વ્યક્તિઓ આવુ બોલી શકે છે. તેમણે કહ્યું કે રેવંત રેડ્ડીએ કોંગ્રેસ પાર્ટીને મુસ્લિમ લીગ કોંગ્રેસ પાર્ટી જાહેર કરવી જોઈએ.

વધુમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીના શાળાઓમાં જેહાદ શીખવવા અંગેના નિવેદન પર વળતો પ્રહાર કર્યો. ગિરિરાજ સિંહે કહ્યું કે મૌલાના મહમૂદ મદનીને એક સારા વક્તા તરીકે ઇસ્લામિક દેશમાં મોકલવા જોઈએ. ભારતમાં આવા લોકોની કોઈ જરૂર નથી. આ લોકો દેશમાં વિભાજન પેદા કરે છે. તેઓ હિન્દુઓ સાથે દુર્વ્યવહાર કરે છે અને તેમનું અપમાન કરે છે. ભારતમાં જેહાદ માટે કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું, જે કોઈ પણ જેહાદ વિશે વાત કરે છે તેમને કાયદાના સકંજામાં લેવો જોઇએ.
ઉલ્લેખનીય છે કે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ મંગળવારે તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠકમાં એક નિવેદન આપ્યું હતું, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું. આ વીડિયો વાયરલ થતાં જ તેલંગાણામાં રાજકીય વિવાદ ફાટી નીકળ્યો. રેડ્ડીએ કહ્યું, “હિંદુ ધર્મમાં કેટલા દેવતાઓ છે? ત્રણ કરોડ? કેમ? અપરિણીત લોકો માટે હનુમાન, બે વાર લગ્ન કરનારાઓ માટે બીજો દેવ અને દારૂ પીનારાઓ માટે બીજો દેવ.” યેલમ્મા, પોચમ્મા, મૈસમ્મા… ચિકન માંગનારાઓ માટે અને દાળ-ભાત ખાનારાઓ માટે પણ દેવતા.”


