E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : પત્નીના ત્રાસથી પતિનો આપઘાત, પિતાને વોટ્સઅપ કરી મૃત્યુનું કારણ...

Vadodara : પત્નીના ત્રાસથી પતિનો આપઘાત, પિતાને વોટ્સઅપ કરી મૃત્યુનું કારણ જણાવ્યું, પોલીસે તપાસ શરૂ કરી

પિતાએ આક્ષેપ કર્યો કે મુસ્કાન સઈદને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી, જેના ત્રાસથી સઈદે અંતિમ પગલું ભર્યું. મૃતકના પિતાએ કડક શબ્દોમાં માંગણી કરી છે કે, તેમના પુત્રના મોત માટે જવાબદાર મુસ્કાનને કડક સજા થવી જોઈએ.

વડોદરામાં પત્નીના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક યુવાને પોતાના ઘરે પંખા પર ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મૃતક સઈદ બેલીમના પિતાએ તેમની પત્ની મુસ્કાન સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાવ્યો છે, જેના પગલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મૃતકના પિતાએ પોતાના નિવેદનમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેમણે જણાવ્યું કે, લગ્ન બાદ સઈદ અને મુસ્કાન વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

મહત્વનું છે કે, મુસ્કાન કલાકો સુધી કોઈક અન્ય વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરતી હતી. કોલ ડીટેઈલ કઢાવતા કોઈ અન્ય પુરૂષના નંબરની શંકાના આધારે આ ઝઘડાઓ વધુ વકર્યા હતા. સૌથી ગંભીર બાબત એ છે કે, આપઘાત પહેલા સઈદે પોતાના પિતાને વોટ્સઅપ મેસેજ કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું, ‘પાપા આ લોકોથી હું ખુબ પરેશાન છું, મુસ્કાન અને પરિવારથી પરેશાન છું, હું મરી જાઉં છું.’ પિતાએ આક્ષેપ કર્યો કે મુસ્કાન સઈદને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી, જેના ત્રાસથી સઈદે અંતિમ પગલું ભર્યું. મૃતકના પિતાએ કડક શબ્દોમાં માંગણી કરી છે કે, તેમના પુત્રના મોત માટે જવાબદાર મુસ્કાનને કડક સજા થવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments