E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : અક્ષય ખન્ના OUT! ધુરંધર સિક્વલમાં રણવીર સિંહને મળી ખાસ ટ્રેનિંગ

Entertainment : અક્ષય ખન્ના OUT! ધુરંધર સિક્વલમાં રણવીર સિંહને મળી ખાસ ટ્રેનિંગ

રણવીર સિંહની ફિલ્મ ધુરંધરમાં ડાકુ રહેમાન તરીકે અક્ષય ખન્નાએ શો ચોરી લીધો હતો. તેના પાત્રની ખૂબ પ્રશંસા થઈ રહી છે, ફિલ્મના એક કલાકારે સિક્વલ વિશે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.

બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહની ફિલ્મ ધુરંધર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. તે રણવીરના કરિયરની સૌથી મોટી ઓપનર બની ગઈ છે. ત્યારથી, આ ફિલ્મ એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. રણવીરની સાથે સંજય દત્ત, આર. માધવન, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ અને સારા અર્જુન જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ધુરંધરમાં દરેકના કામની દર્શકો પ્રશંસા કરી રહ્યા છે. તેમજ અક્ષય ખન્ના કેમ બીજા ભાગમાં નથી એ જાણવા તમારે ફિલ્મ જોવી પડશે.v

ધુરંધરની સફળતા વચ્ચે, આર,માધવને હવે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે ધુરંધર ભાગ 2 માં શું ખાસ હશે તે જાહેર કર્યું છે, જેની રિલીઝની જાહેરાત નિર્માતાઓ દ્વારા પહેલાથી જ કરવામાં આવી હતી. ધુરંધર ભાગ 2 માર્ચ 2026 માં રિલીઝ થશે. આર. માધવને ધુરંધરમાં તેમની મર્યાદિત સ્ક્રીન સ્પેસ વિશે પણ વાત કરી. તેમણે ધુરંધરના આગામી ભાગ વિશે પણ એક રસપ્રદ ખુલાસો કર્યો.

આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત, ધુરંધરમાં આર. માધવન ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર અજય સાન્યાલની ભૂમિકામાં છે. તેમણે અગાઉ ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધરની પ્રશંસા કરી હતી અને તેમની સાથે ફરીથી કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આદિત્ય ધર એક ઋષિ જેવા છે. આટલી ગહન ફિલ્મ બનાવવાની દોડધામ વચ્ચે પણ, તે પોતાની ચિંતાઓ શાંત કરવા માટે બેસી જતો હતો. કેટલો અદ્ભુત માણસ છે. ધુરંધરમાં આદિત્ય સાથે કામ કર્યા પછી, હું તેમની સાથે વારંવાર કામ કરવા માંગુ છું.

માધવને સ્વીકાર્યું કે ફેન્સે તેને પહેલા ભાગમાં વધુ જોવા માગતા હતા. જોકે, તે બીજા ભાગમાં આની ભરપાઈ કરશે. તેણે આગળ સમજાવ્યું, પહેલા ભાગમાં મારી સ્ક્રીન હાજરી ઓછી હતી. જોકે, માર્ચમાં રિલીઝ થનારા બીજા ભાગમાં, મારા પાત્રની ભૂમિકા ઘણી મોટી છે કારણ કે તે રણવીરના પાત્રને જાસૂસી અને યુદ્ધની તાલીમ આપે છે.

પહેલા ભાગમાં રણવીરે ચોક્કસ ધૂમ મચાવી હતી, પરંતુ અક્ષય ખન્નાએ ડાકુ રહેમાનની ભૂમિકા ભજવી છે તેની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે. ફેન્સ કહે છે કે તે રણવીરને પણ પાછળ છોડી દે છે. હવે, જોવાનું એ રહે છે કે માધવન બીજા ભાગમાં પાવરહાઉસ તરીકે ઉભરી આવશે કે નહીં, કારણ કે સ્ક્રીન સ્પેસમાં વધારો થયો છે. તેના માટે, 19 માર્ચ, 2026 સુધી રાહ જોવી પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments