E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : અમદાવાદમાં 1 જાન્યુઆરીથી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી અપાશે, AMCને 500...

Ahmedabad : અમદાવાદમાં 1 જાન્યુઆરીથી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી અપાશે, AMCને 500 કરોડની આવક થવાની સંભાવના

ફેબુ્આરી-2026માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મ સમાપ્ત થઈ રહી છે. આ અગાઉ મતદારોને આકર્ષવા ફરી એક વખત 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં માફી આપવાનો રેવન્યુ કમિટીમાં ઠરાવ કરાયો છે. જાન્યુઆરી મહિનામા નવી મિલકતો પૈકી રહેણાંકની મિલકતો માટે 85 તથા કોમર્શિયલ મિલકત માટેના કરદાતાઓને 65 ટકા સુધી વ્યાજ માફી આપવામાં આવશે. વ્યાજ માફી યોજનાના કારણે કોર્પોરેશનને રુપિયા 500 કરોડની આવક થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

અમદાવાદમાં 15 લાખથી વધુ રહેણાંક તથા 7 લાખથી વધુ કોમર્શિયલ મિલકતો આવેલી છે. કુલ મળીને 22 લાખથી વધુ મિલકતોના મિલકતધારકોને જુની અને નવી ફોર્મ્યુલા મુજબ પ્રોપર્ટી ટેક્સના વ્યાજમા અલગ અલગ સ્લેબમાં માફી આપવાનો નિર્ણય કરાયો છે. રેવન્યુ કમિટીના ચેરમેન અનિરૂધ્ધસિંહ ઝાલાએ કહયુ, વ્યાજ માફી સ્કીમ હેઠળ ચાલી અને ઝૂંપડાવાળી મિલકત માટે વ્યાજમાં સો ટકા માફી અપાશે.જુની ફોર્મ્યુલા અંતર્ગત ૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ-૨૬ સુધી રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રકારની મિલકત માટે ૧૦૦ ટકા વ્યાજમાફી અપાશે.આ વ્યાજ માફી સ્કીમ વર્ષ-૨૦૨૫-૨૬ના બાકી પ્રોપર્ટી ટેકસ માટે લાગૂ પડશે નહીં.

નવી ફોર્મ્યુલા મુજબ ક્યારે કેટલી વ્યાજ માફી

મહિનો રહેણાંક(ટકા) કોમર્શિયલ(ટકા)
જાન્યુઆરી 85 65
ફેબુ્આરી 80 60
માર્ચ 75 50

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments