E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : ડભોઇ-શિનોર ચોકડી પર કેનાલનું કામ ખોરંભે જીવના જોખમે વાહનચાલકોની અવરજવર

Vadodara : ડભોઇ-શિનોર ચોકડી પર કેનાલનું કામ ખોરંભે જીવના જોખમે વાહનચાલકોની અવરજવર


​ ડભોઇથી રાજપીપળાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલી શિનોર ચોકડી પાસે નર્મદા કેનાલ પર રોડ પહોળો કરવાની કામગીરી છેલ્લા એક મહિનાથી અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે અહીં ગમે ત્યારે મોટી હોનારત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.


​મુખ્ય સમસ્યાઓ અને જોખમો ખુલ્લા સળિયા અને ઊંડા ખાડા: કેનાલની બંને સાઈડ પર નાળાના વિસ્તૃતિકરણ માટે ખોદકામ કરવામાં આવ્યું છે. હાલમાં બંને બાજુ લોખંડના સળિયા બહાર કાઢીને કામ અધવચ્ચે છોડી દેવાયું છે. રસ્તાની સાઈડમાં મોટા ખાડા હોવાથી રાત્રિના સમવાહનચાલકો માટે આ જગ્યા ડેથ ટ્રેપ સમાન બની ગઈ છે.


​ટ્રાફિકની ગંભીર સમસ્યા: આ માર્ગ માત્ર સ્થાનિક નથી, પરંતુ ડભોઇથી રાજપીપળા, પોઇચા (નીલકંઠ ધામ), કરનાળી, શિનોર, ચાણોદ અને સાધલી જેવા મહત્વના સ્થળોને જોડતો મુખ્ય રસ્તો છે. યાત્રાધામો હોવાને કારણે અહીં પ્રવાસીઓનો પણ ભારે ધસારો રહે છે, જે અધૂરા કામને લીધે કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહે છે.​ગૂઢ મૌન એક મહિનાથી કામ બંધ હોવા છતાં તેનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. શું ગ્રાન્ટનો અભાવ છે કે કોન્ટ્રાક્ટરની આળસ તે પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.સ્થાનિકોની માગણી ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર જાગે તે જરૂરી છે. જો આ નાળાનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે, તો જ ડભોઇની ટ્રાફિક સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે તેમ છે. લોકોની માગ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા વહેલી તકે કામ શરૂ કરી રોડ ખુલ્લો કરવામાં આવે જેથી મુસાફરોને હાલાકી ભોગવવી ન પડે.

Reporter : ફકીરા ખત્રી ડભોઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments