ભારતીય ક્રિકેટ દિગ્ગજ વિરાટ કોહલીના તાજેતરની ODI સીરિઝમાં વિસ્ફોટક ફોર્મે ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુને પ્રભાવિત કર્યા છે.તાજેતરની વિજય હજારે ટ્રોફીમાં બે મેચમાં 200 થી વધુ રન બનાવ્યા હતા જેનાથી તેઓ પ્રભાવિત થયા છે
ભારતીય ક્રિકેટ દિગ્ગજ વિરાટ કોહલીના તાજેતરની ODI સીરિઝમાં વિસ્ફોટક ફોર્મે ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુને પ્રભાવિત કર્યા છે.તાજેતરની વિજય હજારે ટ્રોફીમાં બે મેચમાં 200 થી વધુ રન બનાવ્યા હતા જેનાથી તેઓ પ્રભાવિત થયા છે.આ દરમિયાન નવજોત સિંહ સિદ્ધુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જે ઝડપથી વાયરલ થઈ ગઈ.જેનાથી વિરાટ કોહલીના ચાહકો ભાવુક થઈ ગયા.
નવજોત સિંહ સિદ્ધુએ ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીનો બેટિંગ કરતો એક વીડિયો શેર કર્યો.જેમાં તેને હૃદયસ્પર્શી સંદેશ સાથે કેપ્શન આપ્યું.નવજોત સિંહ સિદ્ધુએ લખ્યું કે જો ભગવાન તેમને ઇચ્છા કરવાની તક આપે.તો તેઓ પ્રાર્થના કરશે કે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લે અને લાલ બોલની રમત રમવામાં પાછા ફરે.તેમનું માનવું છે કે આનાથી 1.5 અબજ ભારતીયોને સૌથી મોટી ખુશી મળશે.કોહલીની ફિટનેસની પ્રશંસા કરતા.સિદ્ધુએ તેમને “24-કેરેટ ગોલ્ડ” કહ્યા અને કહ્યું કે તેમની ફિટનેસ 20 વર્ષના ખેલાડી જેવી છે.

એ નોંધનીય છે કે 37 વર્ષીય કોહલીએ આ વર્ષની શરૂઆતમાં અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.જેને તેમના કારકિર્દીનું પ્રિય ફોર્મેટ માનવામાં આવે છે.આ નિર્ણય ઇંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ટીમની જાહેરાત થાય તે પહેલાં જ લેવામાં આવ્યો હતો.તેની નિવૃત્તિનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હતી.જ્યાં કોહલી સતત ઓફ-સ્ટમ્પની બહાર બોલનો પીછો કરતો જોવા મળ્યો હતો.તેણે પર્થમાં સીરિઝની પહેલી મેચમાં સદી ફટકારી હતી.પરંતુ તે પછી તે સમગ્ર સીરિઝ દરમિયાન સંઘર્ષ કરતો રહ્યો.
જોકે નિવૃત્તિ પછી સફેદ બોલના ક્રિકેટમાં તેનું બેટ ફરીથી બોલવા લાગ્યું છે.તે ODI માં સતત સદી ફટકારી રહ્યો છે.જે તેના પ્રભાવશાળી પુનરાગમનનો સંકેત છે.તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝમાં તેણે બે સદી અને એક અડધી સદી ફટકારી.આ સમય દરમિયાન વિરાટે એમ પણ કહ્યું કે તેનું ધ્યાન હવે ફક્ત ODI ક્રિકેટ પર છે.પરિણામે ટેસ્ટ ફોર્મેટમાં તેની વાપસી હવે લગભગ અશક્ય છે.


