પાટણ શહેરના જગન્નાથજી મંદિરમાં મંગળવારે વહેલી સવારે કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખીને ભગવાનના ગર્ભગૃહમાં સગડી પ્રગટાવી શિયાળાની ઋતુ મુજબના વાસાણોનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.પાટણ શહેરના જગન્નાથજી મંદિરમાં મંગળવારે વહેલી સવારે કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખીને ભગવાનના ગર્ભગૃહમાં સગડી પ્રગટાવી શિયાળાની ઋતુ મુજબના વાસાણોનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.

પરંપરાગત રીતરિવાજો અનુસાર ભગવાનને ગરમાહટ અને ઋતુસર્જિત આરોગ્યની ભાવના સાથે ભકતો દ્વારા વિશેષ ભોગ અર્પણ કરાયો હતો. ભગવાન જગન્નાથની પરંપરા અને ધાર્મિકતાનું મહત્ત્વ ખૂબ જ અનેરું છે. એમ કહેવાય છે કે ભગવાન જગન્નાથની ઉપાસનામાં ઋતુચક્રને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. જેમ માનવ જીવનમાં ઋતુઓ પ્રમાણે આહાર અને સંભાળ બદલાય છે, તેમ દેવસેવામાં પણ ઋતુ અનુસાર ભોગ, વસ્ત્ર્ર અને સેવાઓ કરવામાં આવે છે. શિયાળામાં સગડી પ્રગટાવવી અને ગરમ વાસાણોનો ભોગ ધરાવવો આ કરૂણાભર્યા ભાવનું પ્રતીક છે.


