કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતનાં મીર હાજીભાઈ કાસમભાઈને પદ્મશ્રીની સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે.આ સિવાય સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, આરોગ્ય, કળા અને જનકલ્યાણ સાથે જોડાયેલા લોકોના નામ સામેલ છે. બ્રજલાલ ભટ્ટ, બુધરી તાતી, ભગવાન દાસ, ધાર્મિક લાલ પંડ્યા, ડૉ. શ્યામ સુંદર, ચરણ હેમ્બ્રમને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

પદ્મ વિભૂષણ સાધારણ અને વિશેષ સેવા રૂપે, પદ્મ ભૂષણ ઉચ્ચ કક્ષાની વિશેષ સેવા માટે અને પદ્મ શ્રી કોઈપણ ક્ષેત્રમાં વિશેષ સેવા માટે આપવામાં આવે છે. પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર કરવામાં આવે છે. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંથી એક પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે. જેમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી સામેલ છે. આ પુરસ્કાર કલા, સામાજિક કાર્ય, સાર્વજનિક કિસ્સા, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, વેપાર, ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય, શિક્ષણ, રમત અને સિવિલ સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કાર્ય કરનારાઓને માન્યતા આપે છે.


