E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratSabarkantha : પ્રાંતિજમાં બી.એસ.સી. નર્સિંગનો અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી...

Sabarkantha : પ્રાંતિજમાં બી.એસ.સી. નર્સિંગનો અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત

પ્રાંતિજમાં 19 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની વાત સામે આવી છે, ઊંઘમાં જ યુવતીને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હોવાની વાત સામે આવી છે, યોગેશ્વર સોસાયટીમાં રહેતી આસ્થા પટેલનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે.

સાબરકાંઠાના પ્રાંતિજમાં યોગેશ્વર સોસાયટી ખાતે રહેતી 19 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત થયું છે, રાત્રિ દરમિયાન યુવતી ઘરે સુતી હતી અને વહેલી સવારે ઉઠી નહી અને ત્યારબાદ ડોકટરે તપાસ કરતા તેને મૃત જાહેર કરી હતી, 19 વર્ષની આસ્થા આશિષ કુમાર પટેલ પ્રાંતિજની ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે બી.એસ.સી નર્સિંગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી.

હાર્ટ આપણા શરીરનું સૌથી મહાવપૂર્ણ અંગ હોય છે. આપણા દિલનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. જો દિલની ગતિમાં થોડો પણ ફેરફાર થાય છે, તો આપણે ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. દર્દીને શરૂઆતમાં કેલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો થાય છે અને પછી આ સમસ્યાઓ હાર્ટ એટેકનો ખતરો વધારી દે છે. જાણી લો કે જો તમે હાર્ટની બીમારીથી પીડિત છો તો તમારે હાર્ટ એટેકનાં આ લક્ષણો વિશે જરૂર જાણી લેવું જોઈએ.

જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો.

ધ્યાન આપવા જેવી બાબત છે કે હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments