E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGandhinagarGandhinagar : દહેગામમાં ચંદન ચોર ટોળકી ત્રાટકી ૧૦ ઝાડ કાપીને લઇ ગયાંની...

Gandhinagar : દહેગામમાં ચંદન ચોર ટોળકી ત્રાટકી ૧૦ ઝાડ કાપીને લઇ ગયાંની ફરિયાદ

ધામક અનો ઔષધિય ઉપયોગમાં લેવામાં આવતાં ચંદનના વૃક્ષોની ખેતી ખુબ કપરી માનવામાં આવે છે. ત્યારે દહેગામમાં દોઢ દાયકાની જહેમત બાદ ઉછેરવામાં આવેલા ચંદનના ૧૦ ઝાડની ચોરી થયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવવામાં આવી છે. અંદાજે ૩૦૦ કિલોથી વધુ વજન ધરાવતા અને રૃપિયા ૫ લાખ ઉપરાંતની બજાર કિંમત ધરાવતા ચંદનના વૃક્ષોની વિરપ્પન સ્ટાઇલમાં ચોરી ચર્ચાનો વિષય બની છે.

દહેગામના કંથરાઈ તળાવ પાસે આવેલા નરેશભાઈ અમીનના ખેતરમાં ચંદન ચોર ટોળકીએ મોડી રાત્રે ચોરીનો કરતબ અજમાવ્યો હતો. અંધારાનો લાભ લઈ તસ્કરોએ એક-બે નહીં પણ પૂરા ૧૦ ચંદનના ઝાડ પર કુહાડો ચલાવી દીધો હતો. જેના પગલે ૧૫ વર્ષથી માવજત કરીને ઉછેરેલા અસામાન્ય અને કિંમતી ચંદનના વૃક્ષો હતાં ન હતાં થઇ ગયા હતાં. ખેતરમાં પ્રવેશેલી ચોર ટોળકીએ એટલી સીફતપૂર્વક ૩૦૦ કિલોથી વધુ વજન ધરાવતા ચંદનના થડ કાપીને ચોરી કરી હતી. બજારમાં ચંદનના આ લાકડાની કિંમત આશરે ૫ લાખ રૃપિયા જેટલી થવા જાય છે. નિત્યક્રમ પ્રમાણે ખેતર માલિક સવારે આવ્યા ત્યારે થડના લાકડાના અવશેષો જોઇને અચંબામાં પડી ગયા હતાં. અને પોલીસને જાણ કરી હતી. સ્થળ પર દોડી આવેલી દહેગામ પોલીસ દ્વારા આ બનાવ સંબંધે તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ કામ કોઇ ટોળકી દ્વારા સુઆયોજીત રેકી કરીને પાર પાડવામાં આવ્યું છે, કો કોઇ હિતશત્નું કામ છે, તે મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments