માર્ચ મહિનો ફિલ્મ પ્રેમીઓ માટે એક ટ્રીટ છે. આ મહિનામાં સૌપ્રથમ બહુપ્રતિક્ષિત રણવીર સિંહની ફિલ્મ “ધુરંધર 2” રિલીઝ થઈ રહી છે. “ધુરંધર” બાદ દર્શકો પાર્ટ-2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 19 માર્ચના દિવસે રિલીઝ થતી આ ફિલ્મની હવે યશની ટોક્સિક મુલતવી રહેતા દર્શકો પણ ખુશ છે. દરમિયાન, એવું બહાર આવ્યું છે કે અક્ષય કુમાર પછી, રિતેશ અને શાહિદ કપૂર પણ રણવીર સિંહ સાથે જોડાઈ રહ્યા છે. શું આ દિગ્ગજ કલાકારો ધુરંધર-2માં જોવા મળશે. ચાલો જાણીએ આખરે શું છે કિસ્સો.
મીડિયા અહેવાલ મુજબ “ભૂત બાંગ્લા” નું ટ્રેલર “ધુરંધર: ધ રીવેન્જ ” ના થિયેટ્રિકલ પ્રિન્ટ સાથે જોડવામાં આવશે. આ અક્ષય કુમારની ફિલ્મ છે, જે 10 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થવાની છે. દરમિયાન, એવું બહાર આવ્યું છે કે “ધુરંધર 2” ના સમર્થન સાથે બે અન્ય ફિલ્મોએ પણ આગળ વધવાનો નિર્ણય લીધો છે. શાહિદ કપૂરની “કોકટેલ 2” અને રિતેશની ફિલ્મ “ધુરંધર 2” ની સાથે થિયેટરોમાં બતાવવામાં આવશે.

રણવીર સિંહના ચાહકોમાં આ ફિલ્મનો ભારે ક્રેઝ છે. “ધુરંધર 2” ની રિલીઝને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. જિયો સ્ટુડિયોએ તેના બે આગામી પ્રોડક્શન વેન્ચર્સ માટે ખાસ યોજનાઓ બનાવી છે. તાજેતરમાં એક ન્યૂઝ વેબસાઇટ પર એક અહેવાલ પ્રકાશિત થયો હતો, જેમાં ખુલાસો થયો હતો કે રિતેશ દેશમુખની “રાજા શિવાજી” અને શાહિદ કપૂરની “કોકટેલ 2” ના ટીઝર “ધુરંધર 2” ની સાથે થિયેટરોમાં બતાવવામાં આવશે. આ પ્રોડક્શન બેનર દ્વારા એક સ્માર્ટ પગલું હશે, કારણ કે આ ફિલ્મો પણ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ નિર્ણય પણ યોગ્ય છે, કારણ કે આદિત્ય ધર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આ વર્ષે ભારતીય સિનેમામાં સૌથી વધુ અપેક્ષિત ફિલ્મોમાંની એક છે.
“રાજા શિવાજી” મરાઠી સિનેમાની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે. રિતેશ દેશમુખ છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવે છે, અને તે ફિલ્મના દિગ્દર્શક પણ છે. આ ફિલ્મમાં સલમાન ખાન પણ છે, અને ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મ 1 મેના રોજ મોટા પડદા પર રિલીઝ થશે. અભિષેક બચ્ચન, સંજય દત્ત, વિદ્યા બાલન, મહેશ માંજરેકર, સચિન ખેડેકર, ભાગ્યશ્રી, ફરદીન ખાન અને જેનેલિયા દેશમુખ પણ જોવા મળશે. જયારે ”કોકટેલ 2” હોમી અડાજાનિયા દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે. તેની રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.


