HomeIndiaNational : અબુ ધાબીની તમામ અને દુબઈની 5 ફ્લાઇટ્સ કેન્સલ, મહાયુદ્ધ વચ્ચે...

National : અબુ ધાબીની તમામ અને દુબઈની 5 ફ્લાઇટ્સ કેન્સલ, મહાયુદ્ધ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય

ઘણા દેશોએ પોતાના એર સ્પેસ (વાયુ ક્ષેત્ર) બંધ કર્યા છે અથવા પ્રતિબંધો લગાવ્યા છે, જેના કારણે વૈશ્વિક ફ્લાઇટ શેડ્યૂલ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. યુનાઇટેડ અરબ અમીરાતના એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા નવા નિર્દેશો બાદ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ઉડાનો પર પણ મોટી અસર થઇ છે.15 માર્ચ 2026 માટે નક્કી કરાયેલી અનેક ‘એડ-હોક’ (ad-hoc) ફ્લાઇટ્સ રદ્દ કરવી પડી છે, જેના કારણે ભારત અને UAE વચ્ચે મુસાફરી કરનારા સૈંકડો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

એર ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીના નિર્દેશોને કારણે તેને પોતાની ઉડાનો ઘટાડવી પડી છે. દિલ્હી-દુબઈ રૂટ પર હવે માત્ર એક રિટર્ન ફ્લાઇટ ચલાવવામાં આવશે, જ્યારે પાંચમાંથી ચાર નિર્ધારિત ફ્લાઇટ્સ રદ્દ કરી દેવામાં આવી છે.ઈન્ડિયા એક્સપ્રેસની દુબઈ માટેની છમાંથી પાંચ ઉડાનો પણ રદ્દ કરી દેવામાં આવી છે. હવે માત્ર એક દિલ્હી-દુબઈ રિટર્ન ફ્લાઇટ જ સંચાલિત થશે. બીજી તરફ Abu Dhabi માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની તમામ પાંચ ફ્લાઇટ્સ રદ્દ કરી દેવામાં આવી છે.

જ્યારે Sharjah માટે એર ઈન્ડિયા એક્સપ્રેસ દિલ્હી, કન્નુર, કોચી, કોઝિકોડ, મુંબઈ અને તિરુવનંતપુરમ માટે ફ્લાઇટ્સ ચલાવવાની યોજના બનાવી રહી છે. ઉપરાંત Ras Al Khaimah માટે કોઝિકોડ અને કોચી માટેની ઉડાનો ચાલુ રાખવાની તૈયારી છે.

કંપનીએ જણાવ્યું છે કે આ ફ્લાઇટ્સ પણ સ્લોટની ઉપલબ્ધતા અને ઓપરેશનલ પરિસ્થિતિઓ પર આધારિત રહેશે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે એરપોર્ટ જવા પહેલાં પોતાની ફ્લાઇટનું સ્ટેટસ ચોક્કસ ચેક કરી લે, જેથી અનાવશ્યક મુશ્કેલીથી બચી શકાય.મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને કારણે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ પર વધુ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે યુનાઇટેડ અરબ અમીરાતના એરપોર્ટ સત્તાધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા નવા નિર્દેશો બાદ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ઉડાનો પર પણ મોટો પ્રભાવ પડ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments