જમ્મૂના આંતરરાષ્ટ્રીય સરહદ ક્ષેત્રમાં પાકિસ્તાન તરફથી ભારતીય RPA પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. હાલ કોઇ નુકસાનની માહિતી સામે આવી નથી. મધ્ય રાત્રીએ અચાનક કનાચક સેક્ટરમાં પાકિસ્તાનની પોસ્ટથઈ કુલ પાંચ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યુ હતુ. તેમાં 4 રાઉન્ડ પાકિસ્તાની પોસ્ટ ખેરી અને 1 રાઉન્ડ અસલમ પોસ્ટથી કરવામાં આવી હતી.
ભારતીય RPA પોતાના ક્ષેત્રમાં નિયમિતરૂપે પેટ્રોલિંગ કરી રહ્યુ હતુ. તે સમયે જ પાકિસ્તાન તરફથી આ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. જોકે, ભારતીય ડ્રોનને કોઈ નુકસાન થયું નથી અને તે સુરક્ષિત રીતે પાછો ફર્યો છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે પાકિસ્તાન વારંવાર સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે, જેનો ભારતીય સેનાએ જવાબ આપ્યો છે.

પાકિસ્તાનના સરહદી દળો દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી તણાવ વધારી શકે છે. ગયા વર્ષે, બંને દેશોમાં હિંસક અથડામણો થઈ હતી. પહેલગામ હુમલા પછી, બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે, અને એક નાની ઉશ્કેરણી પણ યુદ્ધમાં પરિણમી શકે છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાનની કાર્યવાહી અત્યંત બેજવાબદાર અને ઉશ્કેરણીજનક માનવામાં આવે છે. પાકિસ્તાનની પ્રવૃત્તિઓ ભારતીય સરહદ નજીક ચાલુ છે અને તે વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તાજેતરના દિવસોમાં, નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાની ડ્રોન અને ફુગ્ગાઓ જોવા મળ્યા છે.


