બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. જ્યારથી સોનાક્ષીના લગ્ન થયા છે, ત્યારથી તેની પ્રેગ્નન્સીને લઈને સતત અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, આ અફવાઓ દર વખતે ખોટી સાબિત થઈ છે. હવે આ બાબતે સોનાક્ષીની માતા પૂનમ સિંહાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
એક કાર્યક્રમ દરમિયાન પૂનમ સિંહાએ આ અફવાઓ પર હસતા હસતા જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ખબર નહીં અમને કેટલી વાર નાની બનાવી દેવામાં આવ્યા છે, પણ જે હોય તે, આ ખુશી પણ અમને ચોક્કસ મળશે. પૂનમ સિંહાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને લોકોને તેમની આ વાત પસંદ આવી છે.
પૂનમ સિંહાએ દીકરીઓ વિશે વાત કરતા જણાવ્યું કે દીકરીઓ ઘરની ખુશીઓનું સૌથી મોટું કારણ હોય છે અને સોનાક્ષી અમારા ઘરની સૌથી મોટી ખુશી છે. વર્ષ 2025માં જ્યારે સોનાક્ષી એક ઈવેન્ટમાં જોવા મળી હતી, ત્યારે લોકોએ એવું અનુમાન લગાવ્યું હતું કે તે પોતાનો બેબી બમ્પ છુપાવી રહી છે, પણ તે વાત સાચી નહોતી.

સોનાક્ષી સિંહાએ પણ આ અફવાઓ પર પોતાના અંદાજમાં જવાબ આપ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર એક મજેદાર પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, હું 16 મહિનાથી પ્રેગ્નન્ટ છું, જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે આ બધી વાતો માત્ર અફવા છે અને બીજું કંઈ નથી.
સોનાક્ષી અને ઝહીર ઈકબાલે 2024માં લગ્ન કર્યા હતા. તે પહેલા બંનેએ એકબીજાને 7 વર્ષ સુધી ડેટ કર્યા હતા. તેમના લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા અને તેમાં માત્ર નજીકના લોકો જ સામેલ થયા હતા. લગ્ન પછી પણ આ કપલ મસ્તીભર્યા અંદાજમાં જોવા મળે છે.


