ડભોઇ શહેરના તળાવ પુરા ખાતે જસને હુઝુર ખ્વાજા ગરીબ નવાજ ના ઉર્સ પ્રસંગ વ વિલાદતે શૈખુલ ઇસ્લામ ના મોકા પર ડભોઇ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા તકરીર વાયજ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં યુપીના હજરત સૈયદ હમ્ઝા અશરફ દ્વારા તકરીર (વાયઝ) ના કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદની ને અમલ અને ઇબાદત વિશે જાણકારી આપી મોહમ્મદ પૈગંમ્બર સાહેબે દરેક મનુષ્ય માટે કઈ રીતના જીવન જીવવું અંગે સંદેશો આપ્યો હતો જેમાં હક અને ઇન્સાફ ની વાત કરવામાં આવી હતી. અલ્લાહ ને રાજી રાખવા માટે મુસલમાનો એ દુનિયા માટે નહીં પણ અલ્લાહને ખુશ કરવા નમાઝ પઢવી એ મુસલમાનોની પહેચાન છે નું જણાવ્યું હતું. અને સમગ્ર દુનિયામાં ભારતનું નામ ઊંચું રહે તેવી દુઆ કરી હતી્ આ પ્રસંગે સૈયદ સાદાત અને શહેરના પેશ ઈમામો સહિત ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…
Repoter : ફકીરા ખત્રી ડભોઈ


